કોરોનાકાળમાં બોલિવૂડ એક્ટર સોનુ સૂદે દેશના જરૂરિયાતમંદોની દિલ ખોલીને મદદ કરી અને દેશની જનતાનું દિલ જીતી લીધું છે. ખાસ વાત એ છે કે સોનુએ લોકોની મદદ કરવાનું બંધ નથી કર્યું. લોકડાઉનમાં જે રીતે તેણે પ્રવાસી મજૂરોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરી, ગરીબોની આર્થિક મદદ કરી એ જોઈને દેશવાસીઓની નજરમાં સોનુ મસીહા બની ગયો છે.
સોનુ સૂદ સતત લોકોની મદદ કરી રહ્યો છે
ગરીબ લોકોનો મસીહા બની ગયો છે સોનુ
તો હવે સોનુએ લોકોને રોજગાર આપવા કરશે આ મોટું કામ
સોનુ હજી પણ સતત લોકોની મદદ કરતો જઈ રહ્યો છે. તેણે કોરોનાકાળમાં નોકરી ગુમાવી ચૂકેલા જરૂરિયાતમંદોને ઈ-રિક્શા આપવાની યોજના બનાવી છે. એક્ટર ખુદ કમાવો ઘર ચલાઓ નામનું એક નવું કોન્સેપ્ટ લઈને આવ્યો છે. આ યોજનાની મદદથી સોનુ એવા લોકોને આત્મનિર્ભર બનવાનો મોકો આપી રહ્યો છે જે લોકોએ કોરોનાકાળમાં પોતાની નોકરી ગુમાવી દીધી છે.
સોનુએ પોતાની આ નવી યોજનાને લઈને ટ્વિટ પણ કર્યું છે. જેમાં તેણે આ યોજના સંબંધી જાણકારી લોકોને આપી છે. આવનારા સમયના સારાં ભવિષ્ય માટે આજે એક નાનકડું પગલું. લોકોએ ઈ-રિક્શા ઉપલબ્ધ કરાવવી જેથી તેઓ પોતાનો નાનકડો બિઝનેસ શરૂ કરી શકે. લોકોને આત્મનિર્ભર બનાવવાની દિશામાં એક નાનકડો સહકાર. જોકે, આ પહેલાં પણ સોનુ સૂદે ગરીબ અને જરૂરિયાતમંદોને મદદ કરવા નવી યોજનાઓ લાવી છે.