બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / જગન્નાથ રથયાત્રાના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે હેરા પંચમી, જાણો આ પરંપરા પાછળનું મહત્વ

photo-story

5 ફોટો ગેલેરી

રથયાત્રા 2026 / જગન્નાથ રથયાત્રાના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે હેરા પંચમી, જાણો આ પરંપરા પાછળનું મહત્વ

Last Updated: 12:14 AM, 17 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

અષાઢ માસની રથયાત્રા ઉત્સવ દરમિયાન ઉજવાતી 'હેરા પંચમી' ની પરંપરા અત્યંત અનોખી છે. આ દિવસે માતા લક્ષ્મી ગુન્ડિચા મંદિર જઈને ભગવાન જગન્નાથ પ્રત્યે પોતાનો ગુસ્સો અને નારાજગી વ્યક્ત કરે છે. આ સાથે જ અમદાવાદમાં પણ ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનો પ્રારંભ થયો છે.

1/5

photoStories-logo

1. જગન્નાથ રથયાત્રાના પાંચમા દિવસે ઉજવવામાં આવે છે હેરા પંચમી, જાણો આ પરંપરા પાછળનું મહત્વ

ઓડિશાના પુરીમાં વિશ્વ પ્રસિદ્ધ ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો પ્રારંભ 16 July 2026 થી થઈ ચૂક્યો છે. આ ભવ્ય યાત્રામાં ભગવાન જગન્નાથ, તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના ત્રણ વિશાળ લાકડાના રથોને હજારો શ્રદ્ધાળુઓ દ્વારા ખેંચવામાં આવે છે. રથયાત્રા શરૂ થયાના પાંચમા દિવસે એટલે કે અષાઢ માસના શુક્લ પક્ષની પંચમી તિથિએ 'હેરા પંચમી'નો અનોખો ઉત્સવ મનાવવામાં આવે છે. આ વર્ષે જગન્નાથ મંદિર, પુરીની સત્તાવાર વેબસાઇટ અનુસાર હેરા પંચમીનો તહેવાર 20 July 2026 ના રોજ ઉજવવામાં આવશે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. હેરા પંચમીની પૌરાણિક કથા અને રસપ્રદ પરંપરા

પૌરાણિક કથાઓ અને પરંપરા અનુસાર, જ્યારે ભગવાન જગન્નાથ પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા સાથે રથમાં સવાર થઈને માસીના ઘરે એટલે કે ગુન્ડિચા મંદિર જાય છે, ત્યારે માતા લક્ષ્મી મુખ્ય મંદિરમાં એકલા રહી જાય છે. પોતાનાથી રિસાઈને ગયેલા પ્રભુ જગન્નાથજીને મનાવવા માટે પાંચમા દિવસે દેવી લક્ષ્મી એક ભવ્ય પાલખીમાં સવાર થઈને ગુન્ડિચા મંદિર પહોંચે છે અને ભગવાન સમક્ષ પોતાની નારાજગી નોંધાવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. સ્થાનિક ભાષામાં 'હેરા ગોહા લીલા' તરીકે ઓળખવામાં આવે

જોકે, ભગવાન જગન્નાથ તેમને જલ્દી પાછા આવવાની ખાતરી આપે છે, તેમ છતાં માતા લક્ષ્મીનો ગુસ્સો શાંત થતો નથી. ભારે નારાજગીમાં માતા લક્ષ્મી ભગવાન જગન્નાથના મુખ્ય રથ 'નંદીઘોષ' ના આગળના ભાગનો એક ટુકડો તોડી નાખે છે. આ લીલા બાદ ભગવાન જગન્નાથ તેમને મનાવે છે અને માતા લક્ષ્મી મુખ્ય મંદિર પરત ફરે છે. આ સમગ્ર પરંપરાને સ્થાનિક ભાષામાં 'હેરા ગોહા લીલા' તરીકે ઓળખવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. અમદાવાદમાં ભક્તિભાવ સાથે નીકળી 149મી રથયાત્રા

ઓડિશાના પુરી બાદ ગુજરાતના અમદાવાદ સ્થિત જમાલપુર જગન્નાથ મંદિરની રથયાત્રા સમગ્ર દેશમાં બીજા ક્રમે સૌથી વધુ પ્રસિદ્ધ છે. અમદાવાદમાં આજે ભગવાન જગન્નાથજીની 149મી રથયાત્રા પરંપરાગત ભક્તિ અને અદભુત હર્ષોલ્લાસ સાથે પ્રારંભ થઈ છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. વાતાવરણ 'જય રણછોડ, માખણચોર' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું

આ ભવ્ય રથયાત્રાની શરૂઆત વહેલી સવારે વિશેષ પૂજા અને મંગળા આરતીથી થઈ હતી. દેશના ગૃહમંત્રી અમિત શાહ સહિત અનેક અગ્રણી નેતાઓ અને મંત્રીઓએ વહેલી સવારે મંદિર પહોંચીને પ્રભુના દર્શન કર્યા હતા અને મંગળા આરતીમાં ભાગ લીધો હતો. આરતી બાદ ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર રથમાં બિરાજમાન થઈને નગરચર્યાએ નીકળ્યા હતા. પ્રભુના દર્શન કરવા માટે વહેલી સવારથી જ લાખો ભક્તો મંદિર પરિસર અને રથયાત્રાના સમગ્ર રૂટ પર ઉમટી પડ્યા હતા અને આખું વાતાવરણ 'જય રણછોડ, માખણચોર' ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

JagannathRathYatra HeraPanchami2026 RathYatra149
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ