બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Son becomes father's killer in Morbi
Dinesh
Last Updated: 05:17 PM, 21 April 2023
મોરબી જિલ્લાના ટંકારામાં આવેલા વાઘગઢ ગામે હત્યા કરીને જમીનમાં દફનાવી દેવામાં આવેલ આધેડની લાશ મળી આવી હતી જે મામલે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનાનો ભેદ ઉકેલાતા એવું ચોકાવનારું કારણ સામે આવ્યું છે કે, દીકરાએ પોતાના લગ્ન માટે જમા કરેલ રૂપિયા પિતાએ અન્ય વ્યક્તિને આપી દીધા હતા જેથી કરીને દીકરાએ તેના પિતાને માથામાં કુહાડીનો ઘા ઝીંકીને તેમની હત્યા કરી નાખી હતી.
લાશ પ્રાણીઓએ બહાર કાઢીને ફાડી નાંખી હતી
મોરબીમાં છેલ્લા કેટલાક મહિનાઓથી સમાજ માટે લાલબતી સમાન કહી શકાય તેવા બનાવો સામે આવ્યા છે જેની સહી હજુ સુકાઈ નથી ત્યારે ટંકારા તાલુકાનાં વાઘગઢ ગામ આવેલ વાડીની બાજુમાં જમીનમાં દફનાવી દેવામાં આવી હતી પરંતું લાશ પ્રાણીઓએ બહાર કાઢીને ફાડી નાંખી હતી. જે લાશની તપાસમાં મૃતક વ્યક્તિ હીરાભાઈ ડાવરા (62) હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેની બોડીનું ફોરેન્સિક પીએમ કરાવતા મૃતકને માથામાં ધારદાર હથિયાર મારીને તેની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતુ જેથી કરીને મૃતક વ્યક્તિ જેની વાડીએ કામ કરતા હતા તે વાઘગઢ ગામે રહેતા રાજેશભાઈ પટેલ (50)ની ફરિયાદ લઈને પોલીસે હત્યાનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી અને આ ગુનામાં મૃતકના દીકરા પપ્પુ હીરાભાઈ ડાવરાએ જ હત્યા કરી હોવાની સામે આવતા ટંકારા પોલીસે તેની ધરપકડ કરી છે.
લાશને ખાડો ખોદી દફનાવી દીધી હતી
ટંકારના વાઘગઢ ગામે જે હત્યા કરવામાં આવી તેમાં પકડાયેલા આરોપીની પોલીસે આગવી ઢબે પૂછપરછ કરી હતી ત્યારે હત્યા પાછળ ચોંકાવનારું કારણ સામે આવ્યું હતું. પોલીસના જણાવ્યા મુજબ આરોપી પપ્પુ તેના લગ્ન માટે રૂપિયા જમા કરતો હતો તે રૂપિયા તેના પિતા હીરાભાઈ વેસ્તાભાઈ ડાવરાએ બીજાને આપી દીધા હતા જે બાબતને લઈને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી ત્યારે આરોપીને તેના પિતાએ લાકડી વડે માર માર્યો હતો જેથી ઉશ્કેરાટમાં આવીને તેના પિતાને માથામાં કુહાડીનો એક ઘા મારી દીધો હતો જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને કોઈને ખબર ન પડે તે માટે તેને પોતાના પિતાની લાશને ખાડો ખોદીને વાડીની બાજુમાં આવેલ વોંકળામાં દાટી દીધી હતી જો કે બાદમાં તેના કારનામો બહાર આવી જતા તેની ધરપકડ કરાઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime