બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / some interesting stories of Bhagat Singh related to his life
Khyati
Last Updated: 12:22 PM, 23 March 2022
અંગ્રેજોથી ભારતને આઝાદી અપાવવા માટે આ દેશના અનેક સપૂતોએ પોતાના જીવનું બલિદાન આપ્યું.આ દિવસે જ અંગ્રેજ સરકારને ધૂળ ચટાવનાર ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપી હતી. અંગ્રેજો સામે અવાજ ઉઠાવનાર અને તેમના સિતમનો બદલો લેવા કે તેઓને ભાન કરાવવા માટે જાનની બાજી લગાવી દેનાર તમામ સપૂતોને આજના દિવસે યાદ કરવા જોઈએ. આ ઈતિહાસ શહીદ ભગતસિંહ વિના ક્યારેય પૂર્ણ થઈ શકે તેમ નથી. માત્ર 23 વર્ષની ઉંમરે ભગતસિંહ તેમના સાથીઓ સાથે હસતા હસતા ફાંસીના માંચડે ચડી ગયા હતા.
કરોડો યુવાનોના પ્રેરણા સ્ત્રોત
ભગતસિંહ અને તેમના સાથીઓના બલિદાનને દર વર્ષે શહીદ દિવસ તરીકે યાદ કરવામાં આવે છે. બલિદાનના 91 વર્ષ પછી પણ ભગતસિંહ અને સ્વતંત્ર ભારત વિશેના તેમના વિચારો યાદ કરવામાં આવે છે. ત્યારે જાણીએ તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો. જે આજે પણ કરોડો યુવાનોને પ્રેરણા આપે છે.
જલિયાવાલા બાગમાં લીધી હતી શપથ
જલિયાવાલા બાગ હત્યાકાંડની શહીદ વીર ભગતસિંહના જીવન પર ઊંડી અસર પડી હતી. વર્ષ 1919માં અંગ્રેજોના આ હત્યાકાંડે ભગતસિંહનું જીવન બદલી નાખ્યું. તે સમયે ભગતસિંહ માત્ર 12 વર્ષના હતા. કહેવાય છે કે ભગતસિંહે જલિયાવાલા બાગમાં જ અંગ્રેજ શાસન સામે લડવાની પ્રતિજ્ઞા લીધી હતી.
સ્વતંત્રતા વિશે શું વિચારતા ભગતસિંહ ?
આઝાદી અંગે ભગતસિંહના વિચારો તદ્દન અલગ હતા. તેમનું માનવું હતું કે અંગ્રેજો દેશ છોડી દેશે ત્યારે ભારતને આઝાદી નહીં મળે. ભારત ત્યારે આઝાદ થશે જ્યારે આ દેશ એવો સમાજ બનશે જ્યાં કોઈ કોઈનું શોષણ ન કરે.
પંજાબમાં રજા જાહેર
પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માનને શહીદ ભગત સિંહના મહાન અનુયાયી માનવામાં આવે છે. તેમણે શહીદ દિવસના દિવસે પંજાબમાં સરકારી રજા પણ જાહેર કરી છે. આ દિવસે ભગવંત માને ટ્વિટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી. તેમણે લખ્યું કે હું શહીદ-એ-આઝમ સરદાર ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની અપ્રતિમ શહાદતને શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. દેશની આઝાદી માટે પોતાનું અમૂલ્ય પ્રાણ ન્યોછાવર કરનારા મહાન શહીદોના સપનાને સાકાર કરીને પંજાબને ભ્રષ્ટાચાર મુક્ત, સમૃદ્ધ અને સુવર્ણ પંજાબ બનાવીએ.
ਸ਼ਹੀਦ-ਏ-ਆਜ਼ਮ ਸਰਦਾਰ ਭਗਤ ਸਿੰਘ, ਰਾਜਗੁਰੂ ਅਤੇ ਸੁਖਦੇਵ ਜੀ ਦੀ ਲਾਸਾਨੀ ਸ਼ਹਾਦਤ ਨੂੰ ਸਿਜਦਾ ਕਰਦਾ ਹਾਂ।
— Bhagwant Mann (@BhagwantMann) March 23, 2022
ਆਓ ਦੇਸ਼ ਦੀ ਆਜ਼ਾਦੀ ਲਈ ਆਪਣੀਆਂ ਕੀਮਤੀ ਜਾਨਾਂ ਨਿਸ਼ਾਵਰ ਕਰਨ ਵਾਲੇ ਮਹਾਨ ਸ਼ਹੀਦਾਂ ਦੇ ਸੁਪਨਿਆਂ ਨੂੰ ਸਾਕਾਰ ਕਰਦੇ ਹੋਏ ਪੰਜਾਬ ਨੂੰ ਭ੍ਰਿਸ਼ਟਾਚਾਰ ਮੁਕਤ ਖ਼ੁਸ਼ਹਾਲ ਅਤੇ ਸੁਨਹਿਰਾ ਪੰਜਾਬ ਬਣਾਈਏ। pic.twitter.com/Cagx3mAeLH
પીએમ મોદીએ પાઠવી શ્રદ્ધાંજલિ
ત્યારે આજે શહીદ દિવસ નિમિતે પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલી પાઠવી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શહીદોને શ્રદ્ધાંજલિ પાઠવી છે. દેશના વીર જવાનો વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને પીએમ મોદીએ અને બીજા ઘણા સેલિબ્રિટિઝ પણ શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે.
शहीद दिवस पर भारत माता के अमर सपूत वीर भगत सिंह, सुखदेव और राजगुरु को कोटि-कोटि नमन। मातृभूमि के लिए मर मिटने का उनका जज्बा देशवासियों को सदैव प्रेरित करता रहेगा। जय हिंद!
— Narendra Modi (@narendramodi) March 23, 2022
PM મોદીએ લખ્યું હતું કે, આઝાદીના અમર સેનાની વીર ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને શહીદ દિવસ પર કોટી-કોટી નમન. ભારત માતાના પરાક્રમી સપૂતોના હિંમત અને પરાક્રમની કહાની આ દેશને હંમેશા પ્રેરિત કરતી રહેશે. જય હિંદ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / 'વિરોધ કરે છે તે જ ભાજપ સાથે મળેલા' કોંગ્રેસે સસ્પેન્ડ કર્યા બાદ નિલેશ કુંભાણીએ વીડિયો જાહેર કર્યો
Lok Sabha Election 2024
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime