બ્રેકિંગ ન્યુઝ
આ વર્ષનું પહેલું સૂર્ય ગ્રહણ સોમવતી અમાસના દિવસે છે. જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય ગ્રહણને શુભ નથી માનવામાં આવતું. સૂર્ય ગ્રહણ પહેલા જ સૂતક કાળ લાગી જાય છે. એવામાં અમાસ પર આ ગ્રહણનો શું પ્રભાવ રહેશે આ જાણવું મહત્વપૂર્ણ છે. માનવામાં આવી રહ્યું છે કે આ પૂર્ણ સૂર્ય ગ્રહણ લગભગ 54 વર્ષો બાદ લાગી રહ્યું છે. આવો જાણીએ પૂર્ણ સૂર્ય ગ્રહણની ભારત પર શું અસર પડશે.
ADVERTISEMENT

ક્યારથી ક્યાં સુધી લાગશે ગ્રહણ?
સૂર્ય ગ્રહણનો પ્રારંભ: ભારતીય સમય અનુસાર રાત્રે 9.12 વાગ્યાથી 8 એપ્રિલ 2024
સૂર્ય ગ્રહણની સમાપ્તિ: મધ્યરાત્રી સુધી (9 એપ્રિલ 2024ની સવારે 2.22 મિનિટ સુધી)
સૂર્ય ગ્રહણનો મધ્ય સમય: રાત્રે 11.47 મિનિટ
સમયગાળો: 5 કલાક 10 મિનિટ
ADVERTISEMENT
ભારત પર પ્રભાવ?
સૂર્ય ગ્રહણ મીન રાશિ અને રેવતી નક્ષત્રમાં લાગશે. ભારતમાં સૂર્ય ગ્રહણ નહીં જોવા મળે. માટે સૂર્ય ગ્રહણ માન્ય નહીં ગણાય. સૂર્ય ગ્રહણનો ખરાબ પ્રભાવ પણ અમાસ પર નહીં પડે.

ADVERTISEMENT
કયા દેશોમાં જોવા મળશે?
આ સૂર્ય ગ્રહણ એટલાન્ટિંક, પશ્ચિમી યુરોપ પેસિફિક, ઉત્તરી અમેરિકા, આર્કટિક મેક્સિકો, મધ્ય અમેરિકા, દક્ષિણ અમેરિકાના ઉત્તરી ભાગોમાં, ઈંગ્લેન્ડના ઉત્તર પશ્ચિમ ક્ષેત્રમાં, આયરલેન્ડ અને કેનેડામાં જોવા મળશે.
વધુ વાંચો: સૂર્યગ્રહણ કારણે 4 રાશિઓની મુશ્કેલી વધશે, જાણો તમારી રાશિ પર શું અસર થશે
ADVERTISEMENT
સૂતક કાળ
ભારતમાં સૂર્ય ગ્રહણ નહીં દેખાય. માટે આ ગ્રહણનો સૂતક કાળ માન્ય નહીં રહે. જે દેશોમાં સૂર્ય ગ્રહણ જોવા નહીં મળે ત્યાં સૂતક પણ નહીં લાગે. સૂર્ય ગ્રહણનો સૂતક ગ્રહણના 12 કલાક પહેલા જ શરૂ થઈ જાય છે. ગ્રહણ અને સૂતક વખતે અમુક કામોને કરવામાં નથી આવતા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.