બ્રેકિંગ ન્યુઝ
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ
અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
અમદાવાદમાં 4 આતંકીની ધરપકડ મામલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ATSને પાઠવ્યા અભિનંદન
અમદાવાદ એરપોર્ટ પર ચાર આંતકીની ધરપકડ મુદ્દે DGP વિકાસ સહાય યોજી પ્રેસવાર્તા
અમદાવાદમાં ઘૂસ્યા ચાર આતંકીઓ
વડોદરામાં માત્ર બે જ દિવસમાં 9 લોકોના મોત
VTV / ભારત / ટેક અને ઓટો / NHAIની નવી ટેકનોલોજી, ઓટોમેટિક રોડના ખાડા થશે રીપેર, જાણો સેલ્ફ હીલિંગ ટેક્નોલોજી વિશે
Last Updated: 04:22 PM, 30 April 2024
નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા એક એવી ટેકનીક લઈને આવી રહ્યુ છે જેના કારણે તુટેલો રોડ પોતાની જાતે જ ખૂદને રીપેર કરી નાખશે. તેના કારણે ક્રાંતિકારી પરિવર્તન આવી શકે છે. દેશના રસ્તાઓ પર વારંવાર પડતા ખાડાની સમસ્યાને પહોંચી વળવા NHAI સેલ્ફ હીલિંગ ટેકનીકનો ઉપયોગ કરવાનું વિચારી રહ્યુ છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારતમાં દર વર્ષે રોડ એક્સિડેન્ટના કારણે હજારો લોકોના મોત થાય છે. તેની પાછળ ખરાબ રોડ હોવાનું પણ મુખ્ય કારણ માનવામાં આવે છે. 2021માં ખાડાના કારણે 3625 રોડ એક્સિડેન્ટ થયા હતા જે વધીને 2022માં 4446 થયા હતા, તેમાં મોતની સંખ્યા 1800 કરતા વધુ હતી. ત્યારે રોડના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવે છે. પરંતુ તેમા લાંબો સમય નિકળી જાય છે. પરંતુ હવે NHAI એવી ટેકનીક લાવ્યુ છે જેમાં રોડ તુટશે તો ઓટોમેટીક રીપેર થઈ જશે.
આ મામલે NHAIના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યુ કે, રોડ બનાવતી વખતે આ ટેકનીકનો ઉપયોગ કરવાથી ખાડા પડતા બચાવી શકાશે. આ ટેકનીકના કારણે રોડમાં ખાડા જલ્દી નહીં પડે. જો નાના મોટા ખાડા પડશે તો તે ખૂદ રીપેર થઈ જશે.
વાંચવા જેવું: તમે ATMનો ઉપયોગ કરો છો સાવચેત રહેજો, એક નવી ટેકનિકથી લોકો સાથે છેતરપિંડી, આ રીતે બચી શકાય
અધિકારીનું કહેવુ છે કે, રોડ જલ્દી ખરાબ ન થવાના કારણે અત્યારે જે રીપેરનો ખર્ચો આવે છે તે પણ નહીં આવે. આ સિવાય રીપેરીંગ વખતે જે ટ્રાફિક ડાયવર્ટ કરવો પડે છે તે સમસ્યા પણ નહીં રહે. રોડ બનાવતી વખતે સ્ટીલના પાતળા રેશા નાખવામાં આવશે જે બિટુમિન તરીકે ઓળખાય છે તે એક પ્રકારનું ડામર હોય છે. રોડમાં જેવુ પણ તોડફોડ થશે ત્યારે બિટુમિન ગરમ થઈને ફેલાઈ જશે અને તે ફરી કોંક્રીટની સાથે ભળીને સ્ટીલના રેશાને જોડી દેશે. તેના કારણે રોડમાં ખાડા નહીં પડે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT