ભારતીય મૂળના અમેરિકન સોઇલ સાઇન્ટિસ્ટ ડો. રતન લાલને 2020 માટે વર્લ્ડ ફૂટ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યો છે. આ પુરષ્કારનો કૃષિ ક્ષેત્રનો નોબેલ પ્રાઇઝ માનવામાં આવે છે. ડો રતન લાલને પ્રાકૃતિક સંસાધનોની રક્ષા કરવા અને જળવાયુ પરિવર્તનને ઘટાડતા ખાદ્ય પદાર્થોના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે આ પુરસ્કારથી સન્માનવામાં આવ્યા છે.
ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિકને મળ્યું મોટું સન્માન
250,000 યુએસ ડોલરનું ઇનામ મળશે
અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિયોએ ડો.રતન લાલની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, તેમણે આશરે 50 કરોડ ખેડૂતોને મદદ કરી છે. તેમણે ખેડૂતોને વધારે સારા સંચાલન, માટીના ઓછા ધોવાણ તથા કુદરતી રીતે માટીમાં પોષક તત્વો કેવી રીતે જાળવી રાખવા તે અંગે શિખવાડ્યું છે.
અમેરિકાના વિદેશમંત્રીનું નિવેદન
પોમ્પીયોએ વધુમાં જણાવ્યું હતું કે, વિશ્વમાં વસ્તી સતત વધી રહી છે. ઉત્પાદકતા વધારવા અને પર્યાવરણ અને જમીનને નુકસાન ન પહોંચે ત માટે અમને તે સંસાધનોની જરૂર છે. ડો. લાલ દ્વારા જમીન પર કરવામાં આવેલા સંશોધન બતાવે છે કે આ માટે અમારી પાસે તેનું સમાધાન છે.
250,000 યુએસ ડોલરનું ઇનામ મળશે
લાલને 250,000 યુએસ ડોલરનું ઇનામ મળશે. આ સન્માન નવી જમીનના સંરક્ષણ તકનીકોને પ્રોત્સાહિત કરવા માટેના પાંચ દાયકાથી વધુની ખેતીનું પરિણામ હોવાનું કહેવાઇ રહ્યું છે.
ડો. લાલે કહ્યું- સૌને પૌષ્ટીક આહારની સાથે સ્વચ્છ ધરતી પણ મળવી જોઇએ
ડો. લાલે વર્લ્ડ ફૂડ પ્રાઈઝ (World Food Prize) મેળવ્યા બાદ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે સૌનું પેટ ભરવાનું કામ ત્યા સુધી નહીં કરી શકીએ કે જ્યા સુધી સૌ કોઈને પૂરતા પ્રમાણમાં પૌષ્ટીક આહારની સાથે સ્વચ્છ ધરતી અને સ્વચ્છ પર્યાવરણ ન મળે આ પુરસ્કાર એટલા માટે વિશેષ મહત્વનો છે કારણ કે વર્ષ 1987માં પ્રથમ વખતે આ પુરસ્કાર ભારતીય કૃષિ વૈજ્ઞાનિક ડો.એમએસ સ્વામીનાથને મળ્યો હતો. ડો.સ્વામીનાથન ભારતમાં હરિત ક્રાંતિના પ્રણેતા હતા.