બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / વજન ઘટાડવા માટે રાતનું ભોજન છોડવું નુકશાનકારક, જાણો સ્વાસ્થ્ય પર શું અસર થાય
Last Updated: 09:11 AM, 5 May 2024
વજન ઘટાડવા માટે લોકો ઘણી જુદી-જુદી રીતો અપનાવતા હોય છે. કસરત કરવી, જીમ જવું, યોગા કરવા... ઘણા લોકોમાં ડાયેટિંગનો ઘણો ક્રેઝ છે, પરંતુ લોકોને ડાયેટિંગની ચોક્કસ જાણકારી હોતી નથી. ત્યારે જાણકારીના અભાવે ઘણી વખત લોકો ડાયટિંગના નામે ઘણી ફૂડ આઈટમ્સ લેવાનું બંધ કરી નાખે છે. ખાસ કરીને એવું જોવા મળે છે કે લોકો વજન ઘટાડવા માટે ડિનર કરવાનું બંધ કરી નાખે છે. જો કે ડિનર ન કરવાથી વજન ઓછું થાય કે ન થાય, પરંતુ તેનાથી તમે બીમાર ચોક્કસ થઈ શકો છો. શું તમે જાણો છો કે રાતે ખાવાનું ન ખાવાથી તમારા શરીર પર શું અસર થઈ શકે છે?
ADVERTISEMENT
વજન ઘટાડવાની ઉતાવળમાં આવીને કારણે એવું જોવામાં આવ્યું છે કે લોકોમાં ડિનર ન કરવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. વજન ઘટાડવા માટે લોકો કોઈની પણ સલાહ પર આવું કરવાનું શરૂ કરી નાખે છે, પરંતુ આનાથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. જો તમે રાત્રિભોજન સતત છોડો છો તો જાણી લો કે તેની શું આડઅસર થઈ શકે છે.
ADVERTISEMENT
દિવસના મુખ્ય ત્રણ ભોજન હોય છે, પહેલું ભોજન સવારનો નાસ્તો, બીજું ભોજન લંચ અને ત્રીજું ભોજન ડિનર. એટલે જો તમે આમાંથી કોઈ એક ભોજન પણ છોડી દો છો, તો શરીરમાં પોષક તત્વોની અછત થવા લઈ છે, જેને કારણે, રોગપ્રતિકારક શક્તિ ઓછી થવા લાગે છે, જેના કારણે તમે વારંવાર બીમાર પડી શકો છો. કેટલીકવાર પોષક તત્વોની અછત પણ ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.
રાત્રિભોજન છોડવાથી તમારી ઊંઘની પેટર્નમાં ખલેલ પડી શકે છે, જેના કારણે તમારા મૂડમાં ચીડિયાપણું અને ઉદાસી જેવા નકારાત્મક ફેરફારો થઈ શકે છે. આ સિવાય રાત્રે યોગ્ય ઊંઘ ન લેવાથી મેટાબોલિક રેટ ધીમો પડી શકે છે. રાત્રિભોજન છોડવાથી તમને લાગે છે કે તમારું વજન થોડા સમય માટે ઘટી ગયું છે, પરંતુ તેનાથી તમારું વજન ઝડપથી વધી શકે છે અને તમે ગંભીર રોગોનો ભોગ બની શકો છો.
જો તમે નિયમિત રીતે ખાવાનું સ્કિપ કરો છો, તો આનાથી તમારા સ્નાયુઓ નબળા થવા લાગે છે. જ્યારે તમે ખોરાક નથી ખાતા, ત્યારે તમારું શરીર ઊર્જા માટે સ્નાયુઓની પેશીઓનો ઉપયોગ કરે છે, જેના કારણે તમે વજન ઘટાડવાની જગ્યાએ મસલ લોસનો શિકાર બની શકો છો. આ સિવાય સતત ભોજન છોડવાથી તમારા શરીરમાં બ્લડ શુગર લેવલ વધવા કે ઘટવાનો ડર રહે છે.
વધુ વાંચો: દૂધ સાથે ભૂલથી પણ આ વસ્તુનું સેવન કરવું નહીં, શરીરને થશે ભારે નુકસાન
વજન ઘટાડવા માટે માત્ર ડાયટિંગ કરવાથી કે માત્ર વર્કઆઉટ કરવાથી યોગ્ય પરિણામ મળતું નથી, પરંતુ આ બે વસ્તુઓનું પરફેક્ટ કોમ્બિનેશન વજન ઘટાડવામાં મદદ કરે છે, તેથી આ વિશે કોઈ નિષ્ણાત પાસેથી યોગ્ય માહિતી લેવી જોઈએ અને તે પછી ડાયટ શરૂ કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT