બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / સવારનો નાસ્તો છોડવાની આદત બગાડી નાખશે તબિયત, આ બીમારીઓનો ખતરો

હેલ્થ / સવારનો નાસ્તો છોડવાની આદત બગાડી નાખશે તબિયત, આ બીમારીઓનો ખતરો

Nirav Kumar

Last Updated: 05:48 PM, 25 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરીર માટે બ્રેક ફાસ્ટનું ખુબ મહત્વ હોય છે. તેને સ્કિપ કરવાથી અનેક હેલ્થ પ્રોબ્લેમ થાય છે. જેમાં મેન્ટલ પ્રોબ્લેમનો પણ સમાવેશ થાય છે.


બ્રેક ફાસ્ટ હંમેશા ભરપેટ કરવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ અમુક લોકો બ્રેક ફાસ્ટ સ્કીપ કરી દેતા હોય છે. પણ આ સ્કીપ કરવાની આદત સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડી શકે છે. તે માત્ર કમજોરીનું જ કારણ નથી બનતું પણ તમારા મેન્ટલ હેલ્થ પર પણ નકારાત્મક અસર કરી શકે છે. આ દાવો ન્યુટ્રિશનલ ન્યુરોસાયન્સ જર્નલમાં પ્રકાશિત સ્ટડી પર આધારિત છે. આ સ્ટડી અનુસાર, જે લોકો નિયમિતરીતે બ્રેક ફાસ્ટ સ્કીપ કરે છે  તેમને ડિપ્રેશન, માનસિક તણાવ અને માનસિક બીમારીનું જોખમ વધે છે.

આ સ્ટડી અનુસાર, બ્રેક ફાસ્ટ સ્કીપ કરવાને તરત બદલી દેવું જોઈએ. આ સ્ટડી એક સિસ્ટમેટિક રીવ્યુ અને મેટા એનાલિસિસ છે જેમાં વિશ્વભરના 13 ઓબ્સર્વેશનથી ડેટા કલેક્ટ કરવામાં આવ્યો હતો. આ સ્ટડીમાં 3,99,000 થી વધુ લોકોનો સમાવેશ કરાયો હતો અને બ્રેક ફાસ્ટ સ્કીપ કરવાને પેટર્ન અને માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.


vtv app promotion

આ સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, જે લોકો દરરોજ બ્રેક ફાસ્ટ સ્કીપ કરી દે છે તેમને સામાન્ય વ્યક્તિઓ કરતાં ડિપ્રેશનનું જોખમ 40 ટકા વધારે હતું. તેમનામાં માનસિક તણાવનું જોખમ પણ 23 ટકા વધારે હતું. આ સ્ટડીમાં એ પણ સામે આવ્યું છે કે, બ્રેક ફાસ્ટ સ્કીપ કરવાથી શરીરને જરૂરી ઊર્જાનો અભાવ થાય છે. તેનાથી હોર્મોનલ અસંતુલન અને માનસિક થાક પણ પેદા થઈ શકે છે. તો કિશોરોમાં ચિંતામાં વધારો થાય છે.

સ્ટડી અનુસાર, બ્રેક ફાસ્ટ મગજને ગ્લુકોઝ પૂરો પાડે છે જે મગજને કાર્ય કરવામાં અને સકારાત્મક મૂડ જાળવવામાં પણ મદદ કરે છે. જે લોકો લાંબા સમય સુધી બ્રેક ફાસ્ટ સ્કીપ કરી દે છે તેમનામા સવારે પૂરતા પ્રમાણમાં ગ્લુકોઝનો અભાવ હોય છે. જે મગજ પર અસર કરે છે અને માનસિક તણાવ તરફ દોરી જાય છે.

વધુ વાંચો : 30 વર્ષ બાદ કેમ વધે છે પેટની ચરબી? AIIMS ડોક્ટરે જણાવ્યું તેની પાછળનું અસલી કારણ

  • બ્રેક ફાસ્ટ કેમ જરૂરી?
    બ્રેક ફાસ્ટ સ્કીપ કરવાથી શરીરમાં પોષણની ઉણપ પેદા થાય છે. જે માનસિક સમસ્યાઓ પણ તરફ દોરી શકે છે. આ સ્થિતિમાં કોઈપણ સંજોગોમાં નાસ્તોબ્રેક ફાસ્ટ સ્કીપ કરવો નહીં. સવારે જાગ્યાના બે કલાકની અંદર બ્રેક ફાસ્ટ કરો. ખાલી પેટે ચા કે કોફી લેવાનું ટાળો. નાસ્તામાં ફળો, સલાડ અને ઓટમીલ ખાવાનું વધુ ફાયદાકારક સાબિત થાય છે. 

(Disclaimer : આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Breakfast Skip Mental Problems Breakfast
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ