બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sitting on the ground, the cheetah did not leave until it calmed down: seeing the love of the parrot, the spots wept.

પંચમહાલ / અર્થી પર બેસી રહ્યો, ચિતા શાંત ન થઈ ત્યાં સુધી સાથ ન છોડ્યો: પોપટનો પ્રેમ જોઈ ડાઘુઓ રડી પડ્યા

Priyakant

Last Updated: 10:46 AM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Panchmahal Latest News: યુવકનું આકસ્મિક મૃત્યુ થતા તેની અંતિમ યાત્રામાં અબોલ પોપટે મિત્રતા નિભાવી, યુવક મંદિરે પોપટને પણ ચણ નાખતો હોઇ ખૂબ જ આત્મીયતાનો સંબંધ કેળવાયો હતો

  • પક્ષી અને માનવ વચ્ચે ના લાગણીસભર સંબંધોનો અનોખો કિસ્સો
  • મિત્રની અંતિમયાત્રામાં નનામી સાથે જ રહેલા પોપટે મિત્ર સાથે અંતિમ ફેરા ફર્યાનો અજીબોગરીબ કિસ્સો
  • નરેશ પરમારનું મૃત્યુ થતા તેની અંતિમ યાત્રામાં આંખમાં આંસુ સાથે મિત્ર પોપટ પણ જોડાયો 
  • ડાધુઓએ પોપ ને ભગાડવા નો પ્રયત્ન કર્યો છતાં મિત્રની ચિતા શાંત પડ્યા સુધી પોપટ સ્મશાન માં જ રહ્યો 

Panchmahal News : પંચમહાલમાં પક્ષી અને માનવ વચ્ચેના લાગણીસભર સંબંધોનો અનોખો કિસ્સો સામે આવ્યો હતો. વાત જાણે એમ છે, પંચમહાલના ઘોઘંબાના ધનેશ્વરની મુવાડી ગામમાં નરેશ પરમાર નામના 17વર્ષની વયે નિધન થતા તેને મિત્ર પક્ષી પોપટ તેની અંતિમ યાત્રામાં જોડાયો હતો. મિત્રની અંતિમ યાત્રામાં નનામી સાથે જ પોપટ મિત્ર જોવા મળતા લોકોએ પોપટને ભગાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોપટ હટવાનુ નામ નહોતો લેતો. વિગતો મુજબ નરેશ પરમાર રોજ પોતાના પિતા સાથે મંદિરે જતો ત્યારો પોપટને ચણ નાખતો હતો ત્યારે પોપટ સાથે તેની દોસ્તી બંધાઈ હતી.

કહેવાય છે કે, પશુ-પંખી આપણી સાથેની લાગણી અને પ્રેમ ક્યારેય ભૂલતા નથી. આવી જ એક ઘટના સામે આવી છે પંચમહાલના ઘોઘંબાથી. વિગતો મુજબ ઘોઘંબાના ધનેશ્વરની મુવાડી ગામમાં નરેશ પરમાર નામનો યુવક અગાઉ પોતાના પિતા સાથે રોજ મંદિરે જતો ત્યારો પોપટને ચણ નાખતો હતો. આમ પોપટ સાથે તેની લાગણી બંધાઈ હતી. જોકે વિધિની વક્રતા તો જુઓ કે નરેશ પરમારનું માત્ર 17 વર્ષની વયે જ દુ:ખદ અવસાન થયું. આ તરફ નરેશ પરમારની અંતિમ યાત્રામાં આ પોપટ પણ જોડાયો અને જ્યાં સુધી નરેશ પરમારની ચિતા શાંત ન થઈ ત્યાં સુધી તે ત્યાં જ ઊભો રહ્યો હતો.

વધુ વાંચો: લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલા યુવક-યુવતીના કરૂણ મોત, ધુમ્મસના કારણે થયો અકસ્માત; લીંબડીમાં પણ બસનો અકસ્માત 

અબોલ પોપટે અંતિમઘડી સુધી મિત્રતા નિભાવી 
પક્ષી અને માનવ વચ્ચે ના લાગણીસભર સંબંધોનો આ અનોખો કિસ્સો હાલ સમગ્ર જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. મિત્રની અંતિમયાત્રામાં નનામી સાથે જ રહેલા પોપટે મિત્ર સાથે અંતિમ ફેરા ફર્યાનો અજીબોગરીબ કિસ્સાથી લોકોની આંખો પણ ભીની થઈ છે. નરેશ પરમારની અંતિમયાત્રામાં આંખમાં આંસુ સાથે મિત્ર પોપટ પણ જોડાયા બાદ ડાધુઓએ પોપટને ભગાડવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે પોતાની સાથે આત્મીયતાથી બંધાયેલ સંબંધને મૂકી પોપટ કેમ ઊડી શકે ? આ પોપટ જ્યાં સુધી તેના મિત્ર નરેશ પરમારની ચિતા શાંત ન થઈ ત્યાં સુધી સ્મશાન માં જ રહ્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Panchmahal News આકસ્મિક મૃત્યુ ઘોઘંબા ધનેશ્વરની મુવાડી નરેશ પરમાર પંચમહાલ પોપટ પોપટની મિત્રતા Panchmahal News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ