બ્રેકિંગ ન્યુઝ
લોકસભા અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે પ્રચાર પડઘમ શાંત, 48 કલાક સુધી રાજકીય પક્ષો નહીં કરી શકે પ્રચાર, રાજ્યના તમામ જિલ્લાઓમાં રેલી,સભા,લાઉડ સ્પીકર પર પ્રતિબંધ, સોશિયલ મીડિયા પર ઉમેદવારોના સમર્થનમાં પ્રચાર પણ નહીં કરી શકાય
પાટણના રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર પીપળી ગામ નજીક ટ્રીપલ અકસ્માત, એક ડ્રાઈવરનું ઘટના સ્થળે જ નિપજ્યું મોત, અન્ય એકને ગંભીર, ફસાયેલા ડ્રાઈવર અને કન્ડક્ટરને કઢાયા બહાર
ગાંધીનગર ન્યૂઝ: લોકસભા ચૂંટણી મતદાનને લઈ મહત્વના સમાચાર, ભાજપે મતદાનનો સમય વધારવા કરી રજૂઆત, મતદાનનો સમય સવારે 7 થી સાંજે 7 સુધી કરવા રજૂઆત, ગરમીના કારણે મતદાન પર અસર ન થાય તેને લઈ ચૂંટણી પંચેને કરી રજૂઆત
લોકસભા ચૂંટણી 2024: ક્ષત્રિય સમાજની નારાજગીને લઈને ભાજપની ક્ષત્રિય સમાજને અપીલ, ક્ષત્રિય સમાજ ભાજપને સમર્થન આપી ઉદારતા દાખવે
લોકસભા ચૂંટણી 2024: રાજકોટમાં ભાજપ દ્વારા બાઈક રેલીનું આયોજન, પરશોતમ રૂપાલાના સમર્થનમાં પ્રચાર
લોકસભા ચૂંટણી 2024: લિંબાયત વિધાનસભા વિસ્તારમાં સી.આર.પાટીલની રેલી, બાઈક રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા
લોકસભા ચૂંટણી 2024: સુરતમાં લાગ્યા 'ચાલો રાજકોટ'ના પોસ્ટર્સ, સૌરાષ્ટ્રની બેઠકો પર મતદાન વધારવા કવાયત
ગાંધીનગરમાં 'રન ફોર વોટ' કાર્યક્રમનું આયોજન, મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ ફલેગ ઓફ કરાવ્યું
લોકસભા ચૂંટણી 2024: ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમાંના પ્રચાર માટે વેરાવળના ટાવર ચોક ખાતે સભા યોજાઈ
રાજકોટના વિવાદિત પત્રિકા કાંડ કેસમાં ધાનાણીની વધી મુશ્કેલી, કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણીના ભાઇ શરદ ધાનાણીને પકડવા પોલીસની કવાયત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Tragic death of young man and woman going to Dwarka before marriage, accident due to fog
Priyakant
Last Updated: 10:33 AM, 3 February 2024
Gujarat Accident News : આપણે ત્યાં એક પંક્તિ છે કે, ન જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું.... આવી જ બે ઘટનાઓ ગુજરાતમાં સામે આવતા શોકનો માહોલ છવાયો છે. રાજ્યમાં વધતાં જતાં માર્ગ અકસ્માતના બનાવો વચ્ચે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે. રાજ્યના બે અલગ-અલગ અકસ્માતમાં કુલ 4 લોકોના મોત થયા છે. વિગતો મુજબ સુરેન્દ્રનગર-અમદાવાદ નેશનલ હાઇવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતા 2 લોકોના મોત થયા તો 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત બન્યા છે. આ તરફ જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મોત થયા છે. લગ્ન પહેલા દ્વારકા જઈ રહેલ યુવક-યુવતીની કાર ધુમ્મસના કારણે પુલ નીચે ખાબકતા મોત થયું છે.
બંધ પડેલા ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ અથડાતા 2 લોકોના મોત
રાજ્યના સુરેન્દ્રનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર અકસ્માતમાં 2નાં મોત થયાનું સામે આવ્યું છે. વિગતો મુજબ સુરેન્દ્રનગર-અમદાવાદ નેશનલ હાઈવે પર બંધ પડેલા ડમ્પર પાછળ ટ્રાવેલ્સ બસ અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે, અકસ્માતમાં 2 વ્યક્તિના મોત થયા હતા. આ તરફ આ અકસ્માતમાં 15થી વધુ લોકો ઇજાગ્રસ્ત બનતા તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક વિગતો મુજબ આ અકસ્માત જનશાળી ગામના પાટિયા પાસે બન્યો હતો. ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
લગ્ન ન થઈ શક્યા... પ્રેમ અમર થઈ ગયો...
આ તરફ જામનગર-દ્વારકા રોડ પર અકસ્માતમાં પણ 2 લોકોના મોત થયા છે. અહીં સ્થિતિ એવી બની કે, યુવક-યુવતીના લગ્ન ન થઈ શક્યા પણ તેમનો પ્રેમ અમર થઈ ગયો. વિગતો મુજબ જે યુવક-યુવતીના બે મહિના બાદ લગ્ન થવાના હતા તેઓ પરિવાર સાથે દ્વારકા જવા નીકળ્યા હતા. આ દરમિયાન ધુમ્મસના કારણે કાર પુલ નીચે ખાબકતા યુવક-યુવતીનું મૃત્યુ થયો છે. દ્વારકા જઈ રહેલા પરિવારના સભ્યોને લીંબડી નજીક અકસ્માત નડતાં યુવક-યુવતીનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતા. ઘટનાને લઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / રાજકોટ બેઠકના ઉમેદવાર ધાનાણી સામે ફરિયાદ, મામલો ક્ષત્રિયો અને પટેલો સાથે જોડાયેલો