બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / ગુજરાત / VTV વિશેષ / Mahamanthan / આદર્શ આચાર સંહિતોના શું છે નિયમ? ગુજરાતના લોકો કયા મુદ્દાને ધ્યાને રાખીને કરશે મતદાન?
Last Updated: 10:00 PM, 5 May 2024
ત્રીજા તબક્કાના મતદાન પહેલા પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે. 7મેના રોજ લોકસભા ચૂંટણીનું ત્રીજા તબક્કાનું મતદાન યોજાશે. ગુજરાતની સુરત સિવાયની તમામ લોકસભા બેઠક ઉપર 7મેના રોજ મતદાન થશે. ગુજરાતની 5 વિધાનસભાની પેટાચૂંટણી માટે પણ મતદાન થશે. ગુજરાતમાં ચૂંટણી પ્રચારના પડઘમ શાંત થતા હવે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરશે, ખાટલા બેઠકો પણ યોજાશે.. આ બધા વચ્ચે સવાલ એ થાય છે કે ગુજરાતના મતદારના મનમાં શું છે.
ADVERTISEMENT
પ્રચાર પડઘમ શાંત થઇ ગયા છે, જાણીએ શુ છે સામાન્ય આચાર સંહિતા
1..મતવિસ્તારના મતદાર સિવાયની બહારની વ્યક્તિઓએ વિસ્તાર છોડી દેવો પડે
ADVERTISEMENT
2 હવે કોઈ રેલી, જાહેરસભા ન થઈ શકે
3 ટીવી કે અન્ય માધ્યમથી રાજકીય પક્ષ કે ઉમેદવારની જાહેરાત ન થઈ શકે
4 સંગીત, નાટક કે નૃત્ય દ્વારા પક્ષ કે ઉમેદવારના સમર્થનમાં કાર્યક્રમ ન થઈ શકે
5 ઉમેદવાર ડોર ટુ ડોર પ્રચાર કરી શકે
6 ડોર ટુ ડોર પ્રચારમાં પાંચ જ વ્યક્તિ જઈ શકે
7 ડોર ટુ ડોર પ્રચારમાં પક્ષનું બેનર સાથે નહીં રાખી શકાય
8 રાજકીય પક્ષનો ખેસ કે ટોપી પહેરી શકાય
આ ચૂંટણીમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં જેની ચર્ચા વધુ થઈ તે મુદ્દાઓ પર નજર કરીએ તો
-લેઉવા પટેલ સમાજના નામે ફરતી થયેલી પત્રિકા
-નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થવી
-ક્ષત્રિય સમાજ અને પરશોતમ રૂપાલા
-ઉમેદવારોની પસંદગી પછીનો વિરોધ
-રોહન ગુપ્તાએ પરત ખેંચેલી ઉમેદવારી અને પછી રાજીનામું
આ વખતે ઇલેક્શનમાં ઉપરોક્ત મુદ્દાઓ ખુબ ચર્ચામાં રહ્યા હતા.
વ્યક્તિગત પ્રહારની વાત કરીએ તો નીચેના મુદ્દાઓ ચર્ચામાં રહ્યા .
બનાસની બેન V/s બનાસ બેંક
સરપંચ V/s તાલુકા પંચાયતના ડેલિગેટ
સ્થાનિક ઉમેદવાર V/s આયાતી ઉમેદવાર
શહેજાદા V/s શહેનશાહ
હવે એ જાણીએ કે લોકસભા ચૂંટણીની સાથે-સાથે ગુજરાતમાં કઇ પાંચ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી હાથ ધરાવવાની છે...આ બેઠકો પર નજર કરીએ તો
-વાઘોડિયા
-વીજાપુર
-માણાવદર
-પોરબંદર
-ખંભાત
આમ લોકસભા ચૂંટણીની સાથે -સાથે આ પાંચ વિધાનસભા બેઠકો પર કોણ બાજી મારે છે તે જોવું પણ મહત્વનું બની રહેવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT