બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:35 PM, 18 May 2024
વાસ્તુશાસ્ત્ર એક એવું વિજ્ઞાન છે જે વ્યક્તિનું જીવન સરળ બનાવવામાં મદદ કરે છે. આવી સ્થિતિમાં વાસ્તુશાસ્ત્રમાં જણાવેલ નિયમોનું ધ્યાન રાખવાથી વ્યક્તિ જીવનમાં અનેક પ્રકારની સમસ્યાઓથી બચી શકે છે. આ નિયમોને અવગણવાથી ઘણી સમસ્યાઓ થઈ શકે છે.
ADVERTISEMENT
એવું માનવામાં આવે છે કે જો પરિવારમાં વાસ્તુશાસ્ત્રના નિયમોનું ધ્યાન રાખવામાં આવે તો જીવનમાં સારા બદલાવ જોવા મળી શકે છે. તેવી જ રીતે આજે અમે તમને કેટલાક એવા વાસ્તુ નિયમો વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જીવનમાં અપનાવવામાં આવે તો વ્યક્તિ સકારાત્મક પરિણામ મેળવી શકે છે.
ADVERTISEMENT
સમસ્યાઓ ઊભી થઈ શકે છે
લોકો ઘરની સજાવટ માટે અલગ-અલગ પ્રકારના આર્ટિફિશિયલ ફૂલો અને છોડ રાખવાનું પસંદ કરે છે, પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર પ્લાસ્ટિકના ફૂલ અને છોડ વગેરે ક્યારેય પણ ઘરમાં ન રાખવા જોઈએ. આવું કરવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે, જે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
આવા છોડ ન રાખો
લોકો પોતાના ઘરમાં વિવિધ પ્રકારના છોડ રાખવાનું પણ પસંદ કરે છે. આજકાલ ઘરમાં કાંટાવાળા છોડ રાખવાનું ચલણ વધી ગયું છે. પરંતુ વાસ્તુની દૃષ્ટિએ આમ કરવું બિલકુલ યોગ્ય નથી. આમ કરવાથી વ્યક્તિ જીવનમાં વિપરીત પરિણામો આવી શકે છે.
તિજોરીને કયા રાખવી
ધનને સુરક્ષિત રાખવા માટે કેટલાક વાસ્તુ નિયમો સૂચવવામાં આવ્યા છે, જે હંમેશા દક્ષિણની દિવાલની નજીક રાખવા જોઈએ. આમ કરવાથી તિજોરીનો દરવાજો ઉત્તર દિશા તરફ રહેશે, જેનાથી આર્થિક લાભ થવાની સંભાવનાઓ બને છે.
વધુ વાંચોઃ જૂન મહિનાના અંતમાં શનિ ચાલશે ઉલટી ચાલ, ચમકી જશે આ 5 રાશિના જાતકોની કિસ્મત
આ વાતોનું પણ ધ્યાન રાખો
ઘરનું મુખ્ય દ્વાર હંમેશા સાફ રાખવું જોઈએ. મુખ્ય દરવાજા પર ગંદકી ન જામે તેનું ધ્યાન રાખો. કારણ કે વાસ્તુશાસ્ત્રમાં મુખ્ય દ્વારને સકારાત્મક ઉર્જાના આગમનનું માધ્યમ માનવામાં આવે છે. આ સાથે ઘરમાં ક્યારેય કરોળિયાનું જાળું ન હોવું જોઈએ અને ન તો દિવાલો પર ભીનાશ હોવી જોઈએ.
(નોધઃઆ લેખમાં સલાહ અને નિવેદનો માત્ર સામાન્ય માહિતી માટે છે.અમે તે સત્ય હોવાનો દાવો કરતા નથી. તમે અજમાવતા પહેલા આ ક્ષેત્રના નિષ્ણાતની સલાહ લો. )
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
લોકસભા ચૂંટણી 2024 / આ ત્રણ એકઝિટ પોલમાં NDAને સ્પષ્ટ બહુમત, 300થી વધારે બેઠકો મેળવવાનું અનુમાન
વડોદરા બોટકાંડ કેસ / ગુજરાતભરની શાળાઓ માટે ગૃહવિભાગે જાહેર કરી નવી માર્ગદર્શિકા, ચૂસ્ત અમલ ફરજિયાત
આવ રે વરસાદ.... / ભારતમાં બે દિવસ વહેલા આવ્યું ચોમાસું, જાણો ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
લોકસભા ચૂંટણી 2024 / આ ત્રણ એકઝિટ પોલમાં NDAને સ્પષ્ટ બહુમત, 300થી વધારે બેઠકો મેળવવાનું અનુમાન
વડોદરા બોટકાંડ કેસ / ગુજરાતભરની શાળાઓ માટે ગૃહવિભાગે જાહેર કરી નવી માર્ગદર્શિકા, ચૂસ્ત અમલ ફરજિયાત
આવ રે વરસાદ.... / ભારતમાં બે દિવસ વહેલા આવ્યું ચોમાસું, જાણો ગુજરાતમાં ક્યારે આવશે વરસાદ
ADVERTISEMENT