બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / ભારત / VIDEO : પ્રાણ પ્રતિષ્ઠા બાદ પહેલી વાર અયોધ્યામાં PM મોદી, રામલલાના દર્શન કરીને લીધા આશીર્વાદ
Last Updated: 08:18 PM, 5 May 2024
લોકસભા ચૂંટણીનો ધૂઆધાર પ્રચાર કરી રહેલા પીએમ મોદી આજે અયોધ્યા પહોંચ્યાં હતા અને ભગવાન રામના દર્શન કર્યાં હતા. 22 જાન્યુઆરીએ અયોધ્યામાં ભગવાન રામના મંદિરના ઉદ્ધાટન બાદ પહેલી વાર પીએમ મોદી અયોધ્યા પહોંચ્યાં હતા. મંદિરમાં પીએમ મોદીએ પ્રભુ શ્રીરામના ચરણો દંડવત પ્રણામ કર્યાં હતા અને જીતના આશીર્વાદ લીધાં હતા. રામલલાના દર્શન બાદ પીએમ મોદીએ સીએમ યોગી સાથે 2 કિલોમીટર લાંબો રોડ શો પણ કર્યો હતો.
ADVERTISEMENT
PM Modi performs Pooja and Darshan at Shri Ram Janmabhoomi Teerth Kshetra, Ayodhya pic.twitter.com/QetY1qrPip
— IANS (@ians_india) May 5, 2024
ADVERTISEMENT
પીએમ મોદીને જોઈને લોકોમાં અનેરો હરખ
પીએમ મોદીના રોડ શોને લઈને અયોધ્યામાં ભારે ભીડ ભેગી થઈ હતી તેમાં વડીલોથી માંડીને યુવા અને નાના બાળકો પણ હાજર રહ્યાં હતા. પીએમ મોદીને આવેલા જોઈને લોકોમાં પણ અનેરો હરખ જોવા મળ્યો હતો.
LIVE: PM Shri Narendra Modi performs Pooja & Darshan at Shri Ramjanmabhoomi Teerth Kshetra, Ayodhyahttps://t.co/iB7YdDI3aX
— Dr Prem Chand Bairwa(मोदी का परिवार) (@DrPremBairwa) May 5, 2024
વધુ વાંચો : છેલ્લા દિવસે કોંગ્રેસ લગાવ્યું એડીચોટીનું જોર, જુઓ ક્યાં કેવો પ્રચાર
ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહના સમર્થનમાં રોડ શો
પીએમ મોદીએ ફૈઝાબાદ (અયોધ્યા) લોકસભા ક્ષેત્રથી ભાજપના ઉમેદવાર લલ્લુ સિંહના સમર્થનમાં 2 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો. ફૈઝાબાદમાં 20 મેના રોજ પાંચમા તબક્કામાં મતદાન થવાનું છે. બસપાએ અયોધ્યા (ફૈઝાબાદ લોકસભા મતવિસ્તાર)થી એક બ્રાહ્મણ ચહેરાને મેદાનમાં ઉતાર્યો છે. માયાવતીએ બસપામાં જોડાયા બાદ અને આંબેડકર નગર ભાજપના જિલ્લા અધ્યક્ષમાં જોડાયા બાદ અયોધ્યાથી સચિદાનંદ પાંડે 'સચિન'ને ટિકિટ આપી છે. બીજી તરફ ભાજપે લલ્લુ સિંહ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને સમાજવાદી પાર્ટી-કોંગ્રેસ ગઠબંધને આ સીટ પર અવધેશ પ્રસાદ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT