બ્રેકિંગ ન્યુઝ
ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર
દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી
આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ
સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર
હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ
PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત
રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ
રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી
છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ
જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર
VTV / ભારત / VIDEO : કોંગ્રેસ નેતાનો બફાટ-'પૂંછ આતંકી હુમલો સ્ટંટબાજી, કેન્દ્રીય મંત્રીએ કહ્યું 'એટલે 3 યુદ્ધ કરાવ્યાં'
Last Updated: 10:18 PM, 5 May 2024
પંજાબના પૂર્વ સીએમ અને કોંગ્રેસના સિનિયર નેતા ચરણજીતસિંહ ચન્નીએ એક મોટો વિવાદ ઊભો કર્યો છે. જમ્મુ કાશ્મીરના પૂછમાં થયેલા આતંકવાદી હુમલાને સ્ટંટ ગણાવતાં ચરણજીત સિંહ ચન્નીએ કહ્યું કે આ બધા નાટક છે કોઈ આતંકવાદી હુમલો નથી તેમાં જરા પણ સત્ય નથી. ભાજપ લોકોના જીવન અને લાશ પર રાજનીતિ કરી રહ્યો છે. જલંધરમાં પોતાના માટે વોટ માગતા ચન્ની આવું વિવાદીત બોલ્યાં હતા. તેમણે કહ્યું કે આ હુમલા ખરેખર થઈ રહ્યાં નથી પરંતુ ફક્ત ભાજપને મદદ કરવા માટે છે. જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે આવા સ્ટંટ કરવામાં આવે છે. 2019માં પુલવામા હુમલામાં પણ આવું થયું હતું.
ADVERTISEMENT
Congress puppet @CHARANJITCHANNI calls terror attack on IAF jawan as “pre-planned” & “stuntbaazi” !!
— BALA (@erbmjha) May 5, 2024
Congress is a blot on this country. Bringing them to power is the biggest mistake Bharatiyas can commit. pic.twitter.com/6awi7v2EBH
ADVERTISEMENT
RJDના તેજ પ્રતાપ યાદવે પણ ચન્નીના સૂરમાં સૂર પુરાવ્યો
RJDના તેજ પ્રતાપ યાદવ પટણામાં એવું કહ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે પુલવામા અને બીજા આતંકવાદી હુમલા થાય છે.
Ghastly statement by CWC member Channi belittling the valour of our brave soldiers is no less a crime and an insult to nation. Channi's shameful statement on the attack on our Air Force personnel in Poonch calling their valour as a stunt shows the bankruptcy and frustration of…
— Sunil Jakhar(Modi Ka Parivar) (@sunilkjakhar) May 5, 2024
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કર્યો પલટવાર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે ચન્ની પર પલટવા કરતાં કહ્યું કે શું કોંગ્રેસે ચૂંટણી જીતવા માટે 1962, 1965 અને 1971ના યુદ્ધો કરાવ્યાં હતા. આવા નિવેદન બદલ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ અમારી સેનાની માફી માંગવી જોઈએ જ્યારે અમારી સેનાએ ડોકલામમાં અતિક્રમણ કરવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક કરી ત્યારે કોંગ્રેસના લોકો કહેતા રહ્યા કે આ સ્ટ્રાઈક ફેક છે.
વધુ વાંચો : એકદમ ન્યૂડ થઈને મેદાનમાં રમવા લાગ્યાં ખેલાડીઓ, કેમ આવું કર્યું? ફોટા વાયરલ
ગઈ કાલે પૂછમાં થયો હતો આતંકી હુમલો
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે જમ્મુ કાશ્મીરના પૂછમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો થયો હતો જેમાં એક જવાન શહીદ થયાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT