ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 05:07 PM, 20 September 2026
ADVERTISEMENT
મતદાર યાદીની SIR પ્રક્રિયા દરમિયાન જારી કરાયેલી નોટિસની યાદીમાં ઘણા અગ્રણી નામો સામે આવ્યા છે તેમાં ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન લાલકૃષ્ણ અડવાણી, વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ચૂંટણી કમિશનર એસએસ સંધુનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT
કોંગ્રેસના નેતાઓ પણ સામેલ
યાદીમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને સાંસદ કપિલ સિબ્બલ , કોંગ્રેસના નેતા અભિષેક મનુ સિંઘવી અને વિદેશ સચિવ વિક્રમ મિશ્રીના નામ પણ શામેલ છે. આ વ્યક્તિઓને મતદાર યાદીના રેકોર્ડની ચકાસણી માટે અલગ અલગ કેસોમાં નોટિસ મોકલવામાં આવી છે.
ADVERTISEMENT
વધુ વાંચો : ગુજરાતમાં ચોમાસાની વિદાયને લઈને આવ્યાં મોટા સમાચાર, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી?
નોટિસ મોકલવાનું કારણ શું છે?
ADVERTISEMENT
અનેક અગ્રણી રાજકીય અને વહીવટી વ્યક્તિઓને નોટિસ મોકલવામાં આવી છે. અગાઉના SIR રેકોર્ડ સાથે નામોમાં મેળ ખાતો ન હોવાના કારણો અથવા રેકોર્ડમાં વિસંગતતાઓ દર્શાવવામાં આવી છે. વિવિધ કિસ્સાઓમાં, જોડણીની ભૂલો, અગાઉના રેકોર્ડ સાથે મેળ ખાતો ન હોવાના કારણો અને અન્ય રેકોર્ડ-સંબંધિત વિસંગતતાઓ દર્શાવવામાં આવી છે. આ નોટિસનો હેતુ સંબંધિત મતદારોના રેકોર્ડ ચકાસવા અને મતદાર યાદી ચકાસણી પ્રક્રિયાને આગળ વધારવાનો છે. નોટિસ જારી કરવાનો અર્થ એ નથી કે વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવામાં આવ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો