બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર છલકાયું શુભમન ગિલનું દર્દ, ટીમ ઈન્ડિયાને કહ્યું 'ગુડ લક'

સ્પોર્ટ્સ / T20 વર્લ્ડ કપમાંથી બહાર થવા પર છલકાયું શુભમન ગિલનું દર્દ, ટીમ ઈન્ડિયાને કહ્યું 'ગુડ લક'

Bijal Vyas

Last Updated: 04:24 PM, 10 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શુભમન સાઉથ આફ્રીકા વિરુદ્ધ ટી 20 સીરિઝમાં ટીમનો ભાગ છે, પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને વર્લ્ડ કપ સ્કોડમાંથી છુટી થઇ ગઇ છે. શુભમન ગિલે ટી20 વિશ્વ કપ માટે ભારતીય ટીમમાં પસંદ નહીં થવા પર પહેલી વખત ચૂપી તોડી છે.

ટેસ્ટ અને વનડે ટીમના કેપ્ટન શુભમન ગિલે આઇસીસી મેન્સ ટી 20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમમાં સેલેક્ટ કરવામાં આવ્યો નથી. શુભમન સાઉથ આફ્રીકા વિરુદ્ધ ટી 20 સીરિઝમાં ટીમનો ભાગ છે, પરંતુ ખરાબ ફોર્મના કારણે તેને વર્લ્ડ કપ સ્કોડમાંથી છુટી થઇ ગઇ છે. શુભમન ગિલે ટી20 વિશ્વ કપ માટે ભારતીય ટીમમાં પસંદ નહીં થવા પર પહેલી વખત ચૂપી તોડી છે.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ રવિવારે થવા પર પહેલી વનડે પહેલા શુભમન ગિલે કહ્યું કે, તે પસંદગીકર્તાનો નિર્ણયનું સન્માન કરે છે અને ટી20 વિશ્વકપમાં ભાગ લેવા જઇ રહેલી ભારતીય ટીમને શુભકામના આપી છે. શુભમનનો હાલ T20 ફોર્મ ડામાડોડ થઇ રહ્યુ છે અને પસંદગીકર્તાઓએ ટીમ કોમ્બિનેશન ઓપચારિકતા કરી છે. તેણે વિશ્વ કપ સ્કોડથી બહાર રાખે છે. શુભમનની જગ્યાએ અક્ષર પટેલને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. જ્યારે સૂર્યકુમાર યાદવ કેપ્ટનની ભૂમિકા ભજવશે.

shubhman-gill

શુભમન ગિલે પ્રેસ કોન્ફોરન્સમાં કહ્યું, હું પસંદગીકર્તાઓના નિર્ણયનું સન્માન કરુ છું. ટીમ ને ટી20 વિશ્વ કપ માટે શુભકામનાઓ. હું ત્યાં જ છું. જ્યાં મને હોવુ જોઇએ. જે મારી કિસ્મતમાં લખેલુ છે તે કોઇ છીનવી નહીં શકે. એક ખેલાડી હંમેશા દેશ માટે પોતાનું સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા માંગે છે. જે નિર્ણય લેવાયો છે તેનો હું સ્વીકાર કરુ છું.

ROKO પર રહેશે નજર

ભલે ફોક્સ આ સમય ટી20 વિશ્વ કપ પર છે, પરંતુ ન્યુઝીલેન્ડ વિરુદ્ધ ત્રણ મેચની વનડે સિરીઝમાં વિરાટ કોહલી અને રોહિત શર્માએ લાઇમલાઇટ લીધી હતી. બંને દિગ્ગજોનો વિજય આપણા માટે હજારો ટ્રોફી 2025-26માં શાનદાર બલ્લેબાજી ફોર્મમાં નજર આવ્યા, જ્યા તેમણે સારો સ્કોર બનાવીને સાબિત કરી દીધો કે તેમનો પ્રભાવ હજી યથાવત છે.

શુભમન ગિલના પાછા આવવાની સીધી અસર યશસ્વી જયસ્વાલ પર પડી શકે છે, જેણે સાઉથ આફ્રિકા વિરુદ્ધ તાજેતરમાં જ વનડે સિરીઝની છેલ્લી મેચમાં પોતાનો પહેલો ઓડીઆઇ શતક બનાવ્યો હતો. ટીમ મેનેજમેન્ટ શુભમનને ઓપનિંગમાં ઉતારવા માંગે છે. જેનાછી જયસ્વાલે આ પોજિશન છોડવી પડી શકે છે.

SHUBHMAN-GILL

શ્રેયસ અય્યરની વાપસીથી ભારતની સતત બદલતી બલ્લેબાઝી ક્રમની સમસ્યા ખતમ થઇ શકે છે. શ્રેયસ નંબર-4ની પોજિશન ફરી સંભાળવા માટે તૈયાર છે, કેએલ રાહુલ વિકેટ કિપર- બલ્લેબાઝના રુપમાં પાછળના ક્રમમાં રમશે. જેના કારણે ઋષભ પંતને પ્લેઇંગ 11માં જગ્યા મળવી મુશ્કેલ છે.

વનડે સીરિઝમાં જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા પણ સામેલ નહીં થાય, જેથી તે ટી20 અશાઇનમેન્ટ માટે ફ્રેશ રહશે. તેવામાં ફાસ્ટ બોલિંગ યુનિટની જવાબદારી મોહમ્મદ સિરાજ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને પ્રસિદ્ધ કૃષ્ણા સંભાળશે. સ્પિન વિભાગમાં ભારતની પાસે કુલદીપ યાદવ , રવિન્દ્ર જાડેજાઅને વોશિંગ્ટન સુંદર જેવા સ્ટાર હાજર છે.

સંકળાયેલા મુદ્દાઓ

T20 world cup shubman gill Indian Cricket Team
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ