બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:38 PM, 6 September 2025
BCCI એ એશિયા કપ 2025 પહેલા ઈન્ડિયા A ટીમની જાહેરાત કરી છે. ઈન્ડિયા A ઓસ્ટ્રેલિયા A સામે 2 મલ્ટી-ડે મેચ રમશે. આથી BCCI એ મલ્ટી-ડે મેચ માટે ઈન્ડિયા Aની જાહેરાત કરી છે. જેમાં શ્રેયસ ઐયરને ઈન્ડિયા Aની કેપ્ટનશીપ સોંપાઈ છે. આ સિવાય બીજા પ્લેયર્સને પણ ટીમમાં મોકો અપાયો છે.
ADVERTISEMENT
કેએલ રાહુલ અને મોહમ્મદ સિરાજને પહેલી મેચ માટે ટીમનો ભાગ બનાવવામાં નથી આવ્યા, પરંતુ બંને પ્લેયર્સને બીજી મલ્ટી-ડે ટેસ્ટ મેચમાં ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવશે. એવું મનાઈ રહ્યું છે કે, આ સિરીઝમાં સારું પ્રદર્શન કરનારા પ્લેયર્સને વેસ્ટ ઇન્ડીઝ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝમાં મોકો અપાશે. શ્રેયસ ઐયર માટે ટેસ્ટ ટીમમાં પાછા ફરવાનો આ એક બેસ્ટ ચાંસ છે. કેમ કે, સતત ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર રહ્યો છે.
ADVERTISEMENT
🚨 NEWS 🚨
— BCCI (@BCCI) September 6, 2025
India A squad for two multi-day matches against Australia A announced.
Details 🔽 #TeamIndiahttps://t.co/PJI6lWxeEQ pic.twitter.com/2gqZogQKnN
આ 2 મલ્ટી-ડે ટેસ્ટ મેચ સિરીઝની પહેલી મેચ 16 થી 19 સપ્ટેમ્બર દરમિયાન રમાશે, જ્યારે બીજી મલ્ટી-ડે ટેસ્ટ મેચ 23 થી 26 સપ્ટેમ્બર દરમિયાન રમાશે. આ બંને મેચ લખનૌમાં રમાશે. મલ્ટી-ડે મેચો બાદ 3 વનડે મેચ રમાશે. જે અનુક્રમે 30 સપ્ટેમ્બર, 3 ઓક્ટોબર અને 5 ઓક્ટોબર 2025 ના રોજ રમાશે. આ બધી મેચ કાનપુરમાં યોજાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.