બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / Should there be 12 hour shifts not 8? Why the controversy broke out in the country on the idea of Narayan Murthy
Megha
Last Updated: 01:59 PM, 27 October 2023
ઈન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિએ કહ્યું કે જો ભારત વિકસિત અર્થતંત્રો સાથે સ્પર્ધા કરવા ઈચ્છે છે તો ભારતીય યુવાનોએ સપ્તાહમાં 70 કલાક કામ કરવું જોઈએ. નારાયણ મૂર્તિએ આ સૂચન કરીને દેશવ્યાપી ચર્ચા જગાવી છે.
નોકરીની શિફ્ટ 12 કલાક હોવી જોઈએ કે 8?#Job #Shift #timing #NarayanaMurthy #vtvcard #vtvgujarati pic.twitter.com/xixXFpZtRY
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 27, 2023
વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવી હોય તો વર્ક કલ્ચર બદલવાની જરૂર
ઈન્ફોસિસના સ્થાપક એનઆર નારાયણ મૂર્તિએ કહ્યું કે જો દેશને વૈશ્વિક મંચ પર સ્પર્ધા કરવી હોય તો વર્ક કલ્ચર બદલવાની જરૂર છે. તેમણે કહ્યું કે યુવાનોએ અઠવાડિયામાં 70 કલાક કામ કરવા માટે તૈયાર રહેવું જોઈએ. નારાયણ મૂર્તિ ઈન્ફોસિસના ભૂતપૂર્વ સીઈઓ મોહનદાસ પાઈ સાથે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે દેશ નિર્માણ અને ટેકનોલોજી વિશે ખુલીને ચર્ચા કરી હતી. આ દરમિયાન મૂર્તિએ ઈન્ફોસિસ સાથે અન્ય ઘણા મુદ્દાઓ વિશે વાત કરી હતી.
ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરવા સપ્તાહમાં 70 કલાક કામ કરવું જોઈએ
નારાયણ મૂર્તિને આગામી 10, 15 વર્ષ માટેના તેમના અંદાજ વિશે પૂછવામાં આવતા, નારાયણ મૂર્તિએ ભારતમાં ઉત્પાદકતા સુધારવા અને સરકારી વિલંબને ઉકેલવાની જરૂરિયાત પર વાત કરી અને તેની સાથે ભારતની કાર્ય ઉત્પાદકતા વિશ્વમાં સૌથી ઓછી છે તો તેમાં વધારો કરવાની પણ વાત કરી હતી. એમને કહ્યું કે ચીન જેવા દેશો સાથે સ્પર્ધા કરવા માટે દેશના યુવાનોએ સપ્તાહમાં 70 કલાક કામ કરવું જોઈએ જે રીતે જાપાન અને જર્મનીએ બીજા વિશ્વયુદ્ધ પછી કર્યું હતું.
🚨 Indian youngsters should work 70 hours a week if India wants to compete advanced economies - Infosys co founder Narayana Murthy. pic.twitter.com/h5oVw0T45B
— Indian Tech & Infra (@IndianTechGuide) October 26, 2023
તે વ્યક્તિ અઠવાડિયામાં 70 કલાક કામ કર્યા પછી શું પ્રાપ્ત કરશે?
NR નારાયણ મૂર્તિના અઠવાડિયામાં 70 કલાક કામ કરવાના નિવેદનને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા છેડાઈ ગઈ છે. એક યુઝરે લખ્યું કે હું આ સાથે સંમત છું, તમારા એમ્પ્લોયર માટે 40 કલાક અને તમારી રુચિઓ માટે 30 કલાક કામ કરો. અન્ય એક યુઝરે લખ્યું કે તે અઠવાડિયામાં 70 કલાક કામ કરવા સાથે સંપૂર્ણપણે અસંમત છે. લખ્યું કે 70 કલાકના કામકાજના સપ્તાહના હિસાબે આપણે સર્વશ્રેષ્ઠ દેશ બનીશું, પણ કઈ કિંમતે? તે વ્યક્તિ અઠવાડિયામાં 70 કલાક કામ કર્યા પછી શું પ્રાપ્ત કરશે? સારું સ્વાસ્થ્ય? સારું કુટુંબ? સારો સાથી? સુખ? વ્યક્તિ શું પ્રાપ્ત કરશે?
મૂર્તિએ ભારતની કાર્ય ઉત્પાદકતામાં પરિવર્તન લાવવાની તાકીદ પર ભાર મૂક્યો હતો. તેમણે દલીલ કરી હતી કે જ્યાં સુધી ભારતના યુવાનો વધુ કામના કલાકો માટે પ્રતિબદ્ધ નહીં થાય, ત્યાં સુધી દેશ એવી અર્થવ્યવસ્થાઓ સાથે જોડાવા માટે સંઘર્ષ કરશે કે જેણે છેલ્લા કેટલાક દાયકાઓમાં નોંધપાત્ર પ્રગતિ જોઈ છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime