ભારત-ચીન સરહદ વિવાદ દરમિયાન કોંગ્રેસ પાર્ટીના ચીન સાથેના સંબંધો પર ઉઠી રહેલા સવાલોની વચ્ચે શિવસેનાએ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો બચાવ કર્યો છે. શિવસેનાએ પોતાના મુખપત્ર સામનાના સંપાદકીયમાં લખ્યું છે કે વિદેશથી ઘણી બધી પાર્ટીઓએ રૂપિયા લીધા છે. એવામાં કોઇ કહી ના શકીએ કે તેઓ દૂધથી ધોયેલા છે. રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીનના રાજદૂતની તરફથી દાનમાં જે રૂપિયા મળ્યા, તેનો ખુલાસો કરવાથી શું ચીન પોતાની સેના પરત લઇ લેશે. શિવસેનાએ સામનામાં ચીનની છળકપટ અને પીએમ મોદીની નીતિ પર પણ સવાલ ઉઠાવ્યાં.
શિવસેનાના મુખપત્ર સામનાના સંપાદકીય લેખમાં લખ્યું છે કે ચીનની સેના પીછે હટી ગઇ છે અને બંને દેશોના સૈન્ય કમાંડરોની વચ્ચે વાતચીત બાદ તણાવ ઓછો થયો છે. હવે ખોટીવાતનો પર્દાફાશ થઇ ગયો છે. લદ્દાખ અને ચીનની વચ્ચે સરહદ પર તણાવ દરમિયાન ચીન સતત એવા પગલા ઉઠાવી રહ્યું છે, જેને લઇને ભારત માટે મુશ્કેલીઓ ઉભી થાય.
કહેવું કંઇક અને કરવું કંઇક જાણે ચીનની આ રાષ્ટ્રીય નીતિ હોય. ચીન યુદ્ધ નથી ઇચ્છતું પરંતુ તેની નીતિ સરહદ પર યુદ્ધ જેવી પરિસ્થિતિ કરી ભારતને હંમેશા ડરાવીને રાખનારી છે. ચીન ગલવાન ઘાટીમાંથી પોતાના સૈનિકો અને વાહનોને પરત લેવા તૈયાર છે.
પરંતુ તે જ સમય ચીનની સેનાએ લદ્દાખના ડેપસાંગ સેકટરમાં નવા ટેંટ લગાવી દીધા. તોપ અને ટેંક તૈનાત કરી દીધા, સૈનિકોની સંખ્યા વધારી દીધી અને ચીનના હેલિકોપ્ટરે ત્યાં ઉતરવાનું શરૂ કરી દીધું.
તેનો મતલબ એ છે કે હવે જે પણ હોય, ચીનની સેના લદ્દાખ છોડવા માટે તૈયાર નથી. મતલબ એ છે કે ચીન હવે એક નવું આક્રમણ કર્યું છે અને તેઓ આપણી સરહદ છોડવા તૈયાર નથી. ચીન યુદ્ધ નથી ઇચ્છતું પણ યુદ્ધની તલવાર આપણા માથા પર રાખવા ઇચ્છે છે, જેના કારણે પાકિસ્તાન અને નેપાળ જેવા રાષ્ટ્ર ચીનના સમર્થનમાં આવે.