બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Shinde and Thackeray team up again in Maharashtra politics
Kishor
Last Updated: 11:39 PM, 24 April 2023
મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ રવિવારે રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધતાં કહ્યું કે એ દુર્ભાગ્યપૂર્ણ છે કે અસલી શિવસેના કોની છે? એ નક્કી કરવા માટે પાકિસ્તાનના પ્રમાણપત્રની જરૂર છે. શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રવિવારે મહારાષ્ટ્રના જલગાંવમાં આયોજિત એક જનસભામાં કહ્યું હતું કે તેમને લોકો પાસેથી મળી રહેલા સમર્થનને જોઇને પાકિસ્તાન પણ જણાવી દેશે કે અસલી શિવસેના કોની છે, પરંતુ ચૂંટણીપંચ એવું ન કરી શકે, કેમ કે તે ‘મોતિયાથી પીડિત’ છે.
— Office of Uddhav Thackeray (@OfficeofUT) April 23, 2023
એક વાર ફરીથી શિંદે અને ઠાકરે જૂથ આમનેસામને
મહારાષ્ટ્રમાં શિવસેનાના ચૂંટણી ચિહ્ન પર નિર્ણય લેતાં ચૂંટણીપંચે આ વર્ષની શરૂઆતમાં જ ધનુષ અને તીરનું ચિહ્ન શિંદે જૂથને સોંપી દીધું હતું, પરંતુ હાથથી ચૂંટણી ચિહ્ન જવાનું દુઃખ ઉદ્ધવ ઠાકરેના દિલમાં હજુ પણ છે. ચૂંટણી ચિહ્ન ધનુષ અને તીર અંગે એક વાર ફરીથી શિંદે અને ઠાકરે જૂથ આમનેસામને આવી ગયાં છે. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ પૂર્વ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર ચૂંટણી ચિહ્નને લઈને આપેલા નિવેદન પર પલટવાર કર્યો અને કહ્યું કે આ દુર્ભાગ્યપૂર્ણ છે કે અસલ શિવસેના કોની છે તે પાકિસ્તાનના પ્રમાણપત્રથી નક્કી થશે.
એક કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે...
રવિવારે મહારાષ્ટ્રના જલગાંવમાં એક કાર્યક્રમ દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે તેમને લોકો પાસેથી મળી રહેલા સમર્થનને જોઈને પાકિસ્તાન પણ જણાવી દેશે કે અસલ શિવસેના કોની છે પણ ચૂંટણીપંચ એવું કરી શકે નહીં, કારણ કે તે ‘મોતિયા’થી પીડિત છે. ઠાકરેના આ નિવેદન પર પલટવાર કરતાં એકનાથ શિંદેએ કહ્યું કે જલગાંવમાં કોઈએ કહ્યું કે પાકિસ્તાનને પણ ખબર પડી જશે કે અસલી શિવસેના કોની છે? આ દુર્ભાગ્યપૂર્ણ અને દુઃખદ છે કે શિવસેના કોની છે? તે નક્કી કરવા માટે પાકિસ્તાનના પ્રમાણપત્રની જરૂર છે.ઉદ્ધવ ઠાકરેએ એકનાથ શિંદે અને તેમની સાથે શિવસેનાથી અલગ થનારા ધારાસભ્યો પર નિશાન સાધતાં કહ્યું કે જનતા એ સુનિશ્ચિત કરશે કે ગદ્દાર રાજનીતિક રીતે ખતમ થઈ જાય. હકીકતમાં આ એ જ ધારાસભ્યો હતા, જેમના કારણે જૂન-૨૦૨૨માં મહા વિકાસ અઘાડી ગઠબંધનવાળી સરકાર પડી ગઈ હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime