બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આમ તો અત્યારે ખરીદી કરવી ખૂબ શુભ માનવામાં આવે છે. પરંતુ જ્યોતિષના જણાવ્યાં મુજબ, નવરાત્રિના દિવસોમાં અમુક વસ્તુઓ એવી છે, જેને ઘરે લાવવાથી દેવી માતાનો વિશેષ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. પરંતુ મહાલક્ષ્મીની કૃપા થાય છે અને ક્યારેય પણ નાણાંની અછત થતી નથી.

ADVERTISEMENT
તુલસીનો છોડ
આમ તો મોટાભાગના હિન્દુ પરિવારોના ઘરમાં તુલસીનો છોડ હોય છે. પરંતુ જો તુલસીનો છોડ નથી તો નવરાત્રિના દિવસોમાં તેને ઘર પર લાવો. તુલસીના છોડની સારી રીતે સારસંભાળ રાખો. તુલસી સમક્ષ ઘીનો દીવો પ્રગટાવો. આમ કરવાથી મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે અને નાણાંની ક્યારેય અછત થતી નથી.
ADVERTISEMENT
કેળાનો છોડ
કેળાનો છોડ લાવવાથી તમારા પરિવારની દરેક સમસ્યા દૂર થશે. કોઈ પણ શુભ મૂહૂર્તમાં આ છોડને ઘરે લાવી શકો છો. તેને વાસણમાં રાખી 9 દિવસ સુધી પાણી ચઢાવો. ગુરૂવારના દિવસે પાણીમાં થોડુ દૂધ મિલાવી કેળાના છોડ પર ચઢાવવાથી નાણાંની સમસ્યા દૂર થશે અને લક્ષ્મીજીનો આશીર્વાદ પ્રાપ્ત થશે.
ADVERTISEMENT
હરસિંગારનો છોડ
નવરાત્રિના દિવસમાં જો તમે હરસિંગારનો છોડ લાવો છો, તો તેનાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધીનો વાસ થાય છે. હરસિંગારના બાંદેને તમે ઘરમાં લાલ કપડામાં બાંધી એવા સ્થાને રાખો જ્યાં તમારા નાણાં રાખવામાં આવે છે. આમ કરવાથી નાણામાં વધારો થશે.
ADVERTISEMENT
વડના પાન
નવરાત્રિ દરમ્યાન કોઈ પણ વડનું પાન તોડીને તેને ગંગાજળથી ધોઈ નાખો. ત્યારબાદ તેની પર હળદર અને દેશી ઘીથી સ્વાસ્તિક બનાવી લો. આ પાનને પૂજાના સ્થાન પર રાખો. 9 દિવસ સુધી તેને અગરબતી કરો અને પૂજા કરો. આમ કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થઇ જશે. લાલ કપડાંમાં લપેટીને તેને આખુ વર્ષ પૂજાના સ્થાને રાખવાથી નાણાંની અછત ક્યારેય થશે નહીં.
ADVERTISEMENT
ધતૂરો
ભગવાન શિવને પ્રિય ધતૂરાનો પ્રયોગ માતા કાળીની પૂજામાં થાય છે. નવરાત્રિમાં તમે સારા મુહૂર્તમાં ધતૂરાને ઘરમાં લાવો. તેને લાલ કપડાંમાં લપેટીને રાખો. માતા કાળીના મંત્રજાપ કરી તેનુ પૂજન કરો. આમ કરવાથી દરેક પ્રકારની સમસ્યા દૂર થશે.
શંખપુષ્પી
નવરાત્રિમાં શંખપુષ્પીને ઘરમાં લાવો. તેને ચાંદીના ડબ્બામાં રાખી તમે એવી જગ્યાએ રાખો. જ્યાં તમે પૈસા રાખો છો. આમ કરવાથી તમને નાણાં સંબંધી દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.