બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Politics / Sharad Pawar NCP passes the order of removal of praful patel and sunil tankare

મહારાષ્ટ્ર પોલિટીક્સ / શરદ પવારે વારો કાઢ્યો, દિગ્ગજ નેતા પ્રફુલ્લ પટેલ-સુનિલ તટકરને પાર્ટીમાંથી હાંકી કાઢ્યાં, 9 MLA બરખાસ્ત

Published By: Vaidehi

Last Updated: 05:40 PM, 3 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બળવા બાદ NCPનો મોટો નિર્ણય, શરદ પવારે પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી નિકાળ્યાં.

  • મહારાષ્ટ્ર રાજકારણમાં ફરી મોટું વંટોળ
  • શરદ પવારે પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી નિકાળ્યાં
  • પ્રફુલ્લ પટેલે કહ્યું, શરદ પવારનાં નિર્ણયો એ NCPનાં નિર્ણયો નથી

NCPનાં નેતા અજિત પવારે બળવો કરીને 18 ધારાસભ્યોની સાથે શિંદે સરકાર સાથે જોડાવાનો નિર્ણય કર્યો.હવે મહારાષ્ટ્રનાં રાજકારણમાં ફરી એક મોટું વંટોળ આવ્યું છે. NCP શરદ પવારે પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટીમાંથી નિકાળી દીધાં છે. એટલું જ નહીં કુલ 9 ધારાસભ્યોને પણ અયોગ્ય ઠેરવવામાં આવ્યાં છે. જે બાદ પ્રફુલ્લ પટેલનું નિવેદન સામે આવ્યું છે.

9 ધારાસભ્યોને અયોગ્ય કરાર
NCPની સમિતિએ અજિત પવાર સહિત કુલ 9 ધારાસભ્યોને અયોગ્ય કરાર કરવા માટે પ્રસ્તાવ મૂક્યો છે. આ તમામ ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિયો કરવાનાં આરોપમાં અયોગ્ય કરાર કરવામાં આવ્યાં છે. 

શરદ પવારનાં નિર્ણયો એ NCPનાં નિર્ણયો નથી- પ્રફુલ્લ પટેલ
તેમણે શરદ પવારનાં નિર્ણયને લઈને કહ્યું કે શરદ પવારનાં નિર્ણયો એ NCPનાં નિર્ણયો નથી. આપણે તેના પર ધ્યાન ન આપવું જોઈએ. અજિત પવાર NCPનાં જ નેતા રહેશે. તેમને સત્તાવાર ચૂંટવામાં આવ્યાં છે. અનિલ પાટિલ પણ પોતાના પદ પર જ રહેશે. તેમણે કહ્યું કે કોઈપણ ધારાસભ્યને અયોગ્ય ઠેરવવું એ પાર્ટી કે ચૂંટણી આયોગ ન કરી શકે. આ કામ માત્ર વિધાનસભા સ્પીકર જ કરી શકે છે.

અમે NCP માટે મોટા નિર્ણયો લીધાં છે...
NCPથી છૂટ્યાં બાદ પ્રફુલ્લ પટેલે કહ્યું કે અમે અજિત પવારનાં નેતૃત્વમાં સરકારમાં શામેલ થયાં હતાં.  અમે NCP તરીકે કેટલાક નિર્ણયો લીધાં હતાં જે વિશે અમે મહારાષ્ટ્રનાં લોકોને જણાવવા ઈચ્છીએ છીએ. અમે પાર્ટી માટે મોટા સ્તર પર નિર્ણય લીધાં છે. સત્તાવાર ધોરણે NCPએ મને કાર્યકારી પ્રમુખનું પદ આપ્યું હતું. આ પદ પહેલાં મને ઉપપ્રમુખ તરીકે ચૂંટવામાં આવ્યો હતો. 

અજિતે ડેપ્યુટી CMનાં પદ માટે ગઈકાલે શપથ લઈ લીધી અને એ સાથે જ 9 ધારાસભ્યો પણ શિંદે સરકારમાં જોડાઈ ગયાં.  જો કે આ બાદ NCPનાં આ મોટા નિર્ણયે મહારાષ્ટ્ર રાજકારણને હચમચાવી નાખ્યું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Political Crisis NCP Sharad Pawar મહારાષ્ટ્ર રાજનીતિ શરદ પવાર Maharashtra Political Crisis

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ