બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
Bijal Vyas
Last Updated: 06:28 PM, 18 April 2023
Shani sada sati 2023: હાલમાં શનિ કુંભ રાશિમાં બિરાજમાન છે, શનિના ગોચર 17 જાન્યુઆરી 2023ના રોજ 08 વાગીને 02 મિનિટ પર થયો હતો. આ રાશિમાં 29 માર્ચ 2025 સુધી બિરાજમાન રહેશે. શનિની કુંભ રાશિમાં 26 મહિના સુધી ઉપસ્થિતિ રહેશે. શનિના કુંભ રાશિમાં આવવાથી અમુક રાશિઓ શનિની સાડાસાતીની ચપેટમાં આવી ગઇ છે. શનિની સાડાસાતી દરમિયાન જાતકોને શારીરિક, આર્થિક, તથા માનસિક કષ્ટોનો સામનો કરવો પડે છે.
આ રાશિઓ પર શનિની સાડાસતીઃ
શનિના કુંભ રાશિમાં હોવાથી શનિની સાડાસાતીનું પહેલુ ચરણ મીન રાશિમાં અને બીજુ ચરણ કુંભ રાશિ અને ત્રીજુ ચરણ મકર રાશિ પર ચાલી રહ્યુ છે. શનિની સાડાસાતીના ત્રણ ચરણ હોય છે.
જાણો ક્યારે કઇ રાશિના જાતકોને મળશે છુટકારોઃ
મકર રાશિના જાતકોને સાડાસાતી 18 જાન્યુઆરી 2023ના રોજ શનિની સાડાસાતી શરુ થઇ જશે, જો 29 માર્ચ 2025ના રોજ સમાપ્ત થશે.
કુંભ રાશિથી શનિની સાડાસાતી 03 જૂન 2027ના રોજ સમાપ્ત થશે. પરંતુ શનિની સાડાસાતીથી પૂર્ણ રુપથી મુક્તિ 23 ફેબ્રુઆરી 2028એ શનિના માર્ગી થવા પર મળશે.
મીન રાશિના જાતકોને શનિની સાડાસાતીથી છુટકારો 17 એપ્રિલ 2030ના રોજ મળશે.
શનિની સાડાસાતીથી બચવાના ઉપાયઃ
1. શનિવારે શનિદેવના મંદિરે જઇને શનિદેવના દર્શન કરો.
2. શનિવારના દિવસે લોખંડની વાટકીમાં તેલ ભરીને તેમાં તમારો ચહેરો જોઇને તે તેલ સહિત વાટકીનું દાન કરો.
3. દરરોજ પીપળાના વૃક્ષને જળ ચઢાવો.
4. સાડાસાતીથી પીડિત જાતકે કાળુ વસ્ત્ર ધારણ ના કરવું જોઇએ.
5. દરરોજ દશરથકૃત શનિ સ્ત્રોતના પાઠ કરો.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh