બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / shani rahu yuti 2023 saturn rahu conjuntion will bring good luck to cancer from october

યુતિ / શનિ અને રાહુ મચાવશે ખલબલી: અશુભ યોગના કારણે આ 5 રાશિના જાતકોએ રહેવું પડશે સાવધાન, જુઓ લિસ્ટમાં ક્યાંક તમારી રાશિ તો નથી ને

Manisha Jogi

Last Updated: 02:08 PM, 22 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ શતભિષા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે અને 17 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં ગોચર કરશે. કઈ પાંચ રાશિના જાતકો પર પ્રતિકૂળ અસર થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે.

  • શનિદેવ શતભિષા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે
  • 17 ઓક્ટોબર સુધી શનિદેવ આ નક્ષત્રમાં ગોચર કરશે
  • કઈ પાંચ રાશિના જાતકો પર પ્રતિકૂળ અસર થશે?

શનિદેવ શતભિષા નક્ષત્રમાં ગોચર કરી રહ્યા છે અને 17 ઓક્ટોબર સુધી આ નક્ષત્રમાં ગોચર કરશે. શનિદેવ શતભિષા નક્ષત્રમાં હોવાને કારણે શનિ અને રાહુની અશુભ અસર રહેશે. શતભિષા નક્ષત્રના સ્વામી રાહુ છે. આ કારણોસર આ પાંચ રાશિના જાતકોને 17 ઓક્ટોબર સુધી પરેશાની થઈ શકે છે. કઈ પાંચ રાશિના જાતકો પર પ્રતિકૂળ અસર થશે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

કર્ક
કર્ક રાશિના જાતકોની શનિ ઢૈય્યા ચાલી રહી છે. આ રાશિના જાતકોએ અનેક પરેશાનીનો સામનો કરવો પડે છે. કામના કારણે યાત્રા કરવી પડી શકે છે, જેના કારણે આરોગ્ય સંબંધિત પરેશાની થઈ શકે છે. ખાનગી નોકરી કરતા લોકોએ ખાસ સાવધાની રાખવી પડશે. 17 ઓક્ટોબર સુદી રોકાણ ના કરવું જોઈએ. ઓક્ટોબર પછી સારા દિવસો શરૂ થશે. 17 ઓક્ટોબર પછી આર્થિક લાભની સાથે સાથે આરોગ્યમાં પણ સુધારો થશે. 

કન્યા
આ રાશિના જાતકોના જીવનમાં માનસિક ભ્રમ અને ઉથલ પાથલ થઈ શકે છે. આ દરમિયાન સમજ્યા વિચાર્ય વગર કોઈપણ રોકાણ ના કરવું જોઈએ. ખૂબ જ મહેનત કર્યા પછી પણ સફળતા નહીં મળે. ઘરેલુ ખર્ચા પૂર્ણ કરવા માટે દેવુ લેવાની જરૂર ઊભી થઈ શકે છે, જેના કારણે આર્થિક પરિસ્થિતિ પર અસર થશે. 17 ઓક્ટોબર સુધી સાવધાની રાખવી, ત્યારપચી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. તમે જેમાં પણ રોકાણ કરશો, તેમાં તમને લાભ થશે. ઉપરાંત મહેનતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે.

વૃશ્વિક
આ રાશિના જાતકોએ ઓક્ટોબર સુધી રક્ત સંબંધિત બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન સરકારી અધિકારી સાથે મતભેદ થઈ શકે છે. ખોટી રીતે કરેલ કમાણી પરત આપવી પડી શકે છે. પ્રેમ સંબંધમાં સાચવીને રહેવું. સંબંધ તૂટવાનો ડર રહે છે. વાહન ચલાવતા સમયે સાવધાની રાખવી, દુર્ઘટના થવાની સંભાવના છે. 17 ઓક્ટોબર પછી રાહુ અને શનિનો પ્રભાવ ઓછો થશે, આરોગ્યમાં સુધારો થશે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. લવ લાઈફમાં સુધારો થશે. 

કુંભ
શનિ કુંભ રાશિના સ્વામી છે. આ રાશિના જાતકોમાં અહંકારની ભાવના ઉત્પન્ન થઈ શકે છે, જેના કારણે પરેશાની થઈ શકે છે. જીવનસાથી સાથે કોઈ બાબતે વિવાદ થઈ શકે છે, જેના કારણે પારિવારિક શાંતિ ભંગ થઈ શકે છે. આ દરમિયાન તમે સ્વજનોનો સાથ છોડી શકો છો. ઓક્ટોબર પછી તમારી પરિસ્થિતિમાં સુધારો થશે. પર્સનલ લાઈફમાં સુધારો થશે. જીવનસાથી સાથે તાલમેલ સારો રહેશે. પરિવારમાં સુખ અને શાંતિ રહેશે. 

મીન
આ રાશિના જાતકો પર શનિ ગોચરની પ્રતિકૂળ અસર થઈ શકે છે. આ રાશિના જાતકોએ આરોગ્ય સંબંધિત પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. પગ અને ઘુંટણની સમસ્યા થઈ શકે છે. વગર કામના ખર્ચાઓ વધી શકે છે, જેના કારણે તમારું બજેટ બગડી શકે છે. 17 ઓક્ટોબર પછી આ તમામ પરિસ્થિતિઓ બદલાઈ જશે. તમારા આરોગ્યમાં પણ સુધારો જશે. તમારા જે પણ કામ અટકેલા છે, તે કામ શરૂ થશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ