બ્રેકિંગ ન્યુઝ
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી
Dinesh
Last Updated: 06:18 PM, 4 March 2024
લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. કોંગ્રેસના સિનિયર ધારાસભ્ય અર્જૂન મોઢવાડિયા ધારાસભ્ય પદ પરથી વિધાનસભા અધ્યક્ષને રાજીનામુ આપશે. ત્યારબાદ અર્જૂન મોઢવાડિયા કોંગ્રેસમાંથી પણ રાજીનામુ આપશે. લોકસભા ચૂંટણી અને રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા પહેલા કોંગ્રેસમાં મોટો ભંગાણ પડી રહ્યો છે.
આ મુદ્દે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું હતું ?
ગુજરાત કોગ્રેસને વારંવાર ઝટકા આપનાર સમાચાર મળી રહ્યા છે ત્યારે એક એવા સમાચાર પણ ચર્ચામાં છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અર્જૂન મોઢવાડિયા પણ ભાજપમાં જોડાશે. ત્યારે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે આ બાબતે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતુ કે અર્જૂન મોઢવાડિયા સતત અમારા સંપર્કમાં છે. રાહુલ ગાંધીની યાત્રાને લઈને તેઓ કામ કરી રહ્યા છે. આજે સવારે જ તેમની જોડે વાત કરી હતી
આજે આપશે રાજનામું ?
અર્જુન મોઢવાડિયા રાજીનામું આપી શકે છે તેવી અટકળો વચ્ચે શંકર ચૌધરી ગાંધીનગર આવવા રવાના થયા છે. બનાસકાંઠાના થરાદ ખાતે હોસ્પિટલનો કાર્યક્રમ હતો તે દરમિયાન એક ફોન આવતા વિધાનસભા અધ્યક્ષ ગાંધીનગર આવવા રવાના થયા છે. અર્જુન મોઢવાડીયા રાજીનામુ આજે આપશે તેવી અટકળો તેજ થઈ છે. ત્યારે શંકર ચૌધરીને આવેલો ફોન અને ગાંધીનગર તરફ જવાનુ કારણ મોઢવાડીયાનું રાજીનામુ હોવાની ચર્ચા ચાલી રહી છે.
વાંચવા જેવું: ભારત જોડો યાત્રા ગુજરાતમાં પ્રવેશે તે પહેલા જ કોંગ્રેસ તૂટશે! દિગ્ગજ નેતાએ CR પાટીલ સાથે કરી મીટિંગ
અંબરીશ ડેર ભાજપમાં જોડાશે
કોંગ્રેસનાં નેતા અંબરીશ ડેર છેલ્લા ઘણા સમયથી ભાજપમાં જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે આજે અમદાવાદમાં સાયન્સ સીટી ખાતે કોંગ્રેસનાં નેતા તેમજ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ વચ્ચે ચર્ચા થઈ હોવાનાં સમાચાર વહેતા થતા રાજકારણમાં ગરમાવો આવી જવા પામ્યો હતો. ત્યારે કોંગ્રેસના અંબરીશ ડેર પણ ભાજપમાં ભળી જવાની જાહેરાત કરી દીધી છે. તો બીજી તરફ અર્જુન મોઢવાડિયા પણ ભાજપ જોડાવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ