ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / ભારત / સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને મોટો ઝટકો! RBIના રેડ સિગ્નલથી યસ બેન્કમાં નહીં વેચી શકે 51 ટકા હિસ્સો
Last Updated: 04:37 PM, 12 September 2024
ADVERTISEMENT
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ યસ બેંકમાં 51 ટકા હિસ્સો વેચવાની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની દરખાસ્તને નકારી કાઢી છે. ઉપરાંત, આરબીઆઈ યસ બેંકમાં કોઈ વિદેશી રોકાણકારો દ્વારા હિસ્સો ખરીદવાની તરફેણમાં નથી. આ બાબતોને કારણે યસ બેંકમાં હિસ્સો ખરીદનારાઓ સાથે SBIની ચાલી રહેલી વાતચીત પણ અટકી ગઈ છે.
ADVERTISEMENT
રિપોર્ટ અનુસાર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા યસ બેંકમાં 51 ટકા બહુમતી હિસ્સો વેચવા માંગે છે. પરંતુ SBIના આ પ્લાનમાં વિલંબ થઈ શકે છે. RBI યસ બેંકમાં બહુમતી હિસ્સો વેચવાના પક્ષમાં નથી. RBI તરફથી ફિટ એન્ડ પ્રોપર મંજૂરી મળવાની બાકી છે. રિપોર્ટ અનુસાર, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કોઈપણ વિદેશી રોકાણકાર દ્વારા યસ બેન્કમાં 51 ટકા હિસ્સો ખરીદવાના પક્ષમાં પણ નથી. યસ બેંકમાં SBIનો 23.99 ટકા હિસ્સો છે.
યસ બેંકમાં હિસ્સો વેચવાની દરખાસ્ત પર હજુ સુધી SBIના બોર્ડ સ્તરે ચર્ચા થવાની બાકી છે, હિસ્સો વેચવાની સમય મર્યાદા પણ હજુ નક્કી કરવામાં આવી નથી . એસબીઆઈ ઉપરાંત, અન્ય બેંકોનો પણ યસ બેંકમાં હિસ્સો છે, જેણે માર્ચ 2020 માં યસ બેંકને નાદારીમાંથી બચાવી હતી.
ADVERTISEMENT
જે બેંકોએ યસ બેંકમાં હિસ્સો ખરીદીને બેલઆઉટ મેળવ્યા હતા તેમના રોકાણ માટેનો ત્રણ વર્ષનો લોક-ઇન સમયગાળો માર્ચ 2023માં જ સમાપ્ત થઈ ગયો છે. માર્ચ 2020 માં, આઠ મોટી નાણાકીય સંસ્થાઓએ યસ બેંકમાં 10 રૂપિયા પ્રતિ શેરના દરે 10,000 કરોડનું રોકાણ કર્યું હતું અને બેંકને કટોકટીમાંથી બહાર લાવી હતી..આ રીતે થાપણદારોના મહેનતથી કમાયેલા નાણાં ડૂબતા બચ્યા હતા.
આ પણ વાંચોઃ રેશન કાર્ડનું E KYC નથી થઇ રહ્યું? તો ઘરે બેઠાં ફૉલો કરો આ સ્ટેપ્સ, બસ જોઇશે આ ડોક્યુમેન્ટ્સ
ADVERTISEMENT

ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો