ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / SBI abolishes minimum balance requirement in depositors account

નિર્ણય / SBIના ગ્રાહકો માટે ખુબ સારા સમાચાર; હવેથી આ સૌથી મોટી ઝંઝટમાંથી મુક્તિ

Published By: Shalin

Last Updated: 07:43 PM, 11 March 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે SBIના ગ્રાહક છો તો તમારા માટે એક સારા સમાચાર છે. હવે તમારે તમારા એકાઉન્ટમાં મીનીમમ બેલેન્સ જાળવી રાખવાની ઝંઝટ નથી.

ADVERTISEMENT

  • 44 કરોડથી વધુ SBI ખાતા ધારકોને મોટો લાભ મળશે 
  • ગ્રાહકોએ ઓછામાં ઓછું 3000 રૂપિયા બેલેન્સ જાળવી રાખવું પડતું હતું

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા એ તેના ગ્રાહકોને રાહત આપીને લઘુતમ બેલેન્સ ચાર્જની ઝંઝટ દૂર કરી દીધી છે. આનો અર્થ એ છે કે હવે ભારતીય સ્ટેટ બેંકના બચત ખાતા ધારકોએ મીનીમમ બેલેન્સ ચાર્જ ચૂકવવો પડશે નહીં. હવે બેંકના ગ્રાહકો તેમની મરજી પ્રમાણે બેલેન્સ રાખી શકશે. બેંક તરફથી આ મુદ્દે કોઈ ચાર્જ લેવામાં આવશે નહીં. આ સિવાય બેંકે SMS ચાર્જ પણ માફ કરી દીધો છે.

તમને જણાવી દઈએ કે મીનીમમ બેલેન્સ ચાર્જ વસૂલ કરવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ટીકા થઈ રહી હતી. હવે બેંકના આ નિર્ણયથી 44 કરોડથી વધુ ખાતાધારકોને લાભ થવાની અપેક્ષા છે

અત્યારે શું ચાર્જ છે?

હાલમાં SBIની અલગ અલગ કેટેગરીમાં સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ધારકોએ મીનીમમ બેલેન્સ તરીકે 1000 થી 3000 રૂપિયા સુધીનું બેલેન્સ મેન્ટેઇન કરવું પડતું હતું. મેટ્રો સીટીમાં રહેતા SBIના સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ધારકોએ મીનીમમ બેલેન્સ તરીકે 3000 રૂપિયા, સેમી અર્બનમાં રહેતા સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ધારકોએ મીનીમમ બેલેન્સ તરીકે 2000 રૂપિયા અને રૂરલ એટલે કે ગ્રામીણ વિસ્તારોમાં રહેતા સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ધારકોએ મીનીમમ બેલેન્સ તરીકે 1000 રૂપિયા બેલેન્સ રાખવું પડે છે. 

જો તમે તે મેન્ટેઈન ન કરો તો બેંક તરફથી 5 રૂપિયાથી 15 રૂપિયા દંડ લેવામાં આવે છે. આ પેનલ્ટીમાં ટેક્સ પણ ઉમેરવામાં આવે છે. SBIના અધ્યક્ષ રજનીશ કુમારના જણાવ્યા અનુસાર નવી જાહેરાત બાદ ગ્રાહકોનો વિશ્વાસ વધશે. તેમણે કહ્યું કે મીનીમમ બેલેન્સ ચાર્જને દૂર કરવો એ બેંકનું વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ગ્રાહકો માટે વધુ અનુકૂળ અને વધુ સારા બેન્કિંગ અનુભવ માટે આ પગલું ભરવામાં આવ્યું છે.

FD વ્યાજ અને MCLRમાં ઘટાડો 

અગાઉ SBIએ વિવિધ મેચ્યોરીટીની મુદતની ફિક્સ ડિપોઝિટ અને માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ લેન્ડિંગ રેટ (MCLR)માં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. બેંકે એક મહિનામાં બીજી વખત ફિક્સ ડિપોઝિટના વ્યાજમાં ઘટાડો કર્યો છે. આ નિર્ણયથી સેવિંગ્સ એકાઉન્ટ ધરાવતા ધારકો નુકસાન થશે જ્યારે MCLRમાં ઘટાડો નવી લોન લેનારા ગ્રાહકોને રાહત આપશે.

સંકળાયેલા મુદ્દાઓ

Minimum Balance National News SBI Saving Account State Bank of India બચત ખાતું વ્યાજ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા SBI Bank

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ