બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / sarkari naukri government jobs railway jobs recruitment in railways vacancy in corona
Last Updated: 01:12 PM, 10 August 2020
ADVERTISEMENT
પરિક્ષા વગર થશે પસંદગી
અહીં 432 ભરતીઓ આવી છે. જેમાં 10માં ધોરણના માર્ક્સના આધારે પસંદગી કરવામાં આવશે. આ પદો પરની ભરતી આઈટીઆઈના માર્ક્સ અને દસમાના નંબરના આધારે કરવામાં આવશે. ઈચ્છુકોના દસમાં અને આઈટીઆઈના માર્ક્સના આધારે મેરિટ લીસ્ટ તૈયાર કરવામાં આવશે. જેમાંથી પસંદગી કરવામાં આવશે.
ADVERTISEMENT

30 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન અપ્લાય કરવુ
ADVERTISEMENT
આ ભરતીઓ માટે ઉમેદવારોએ 30 ઓગસ્ટ સુધી ઓનલાઈન આવેદન કરવાનું રહેશે. apprenticeshipindia.org સાઈટ પર તમે અપ્લાય કરી શકો છો. આ ભરતીઓમાં 164 પોસ્ટ આરક્ષિત છે. જ્યારે 44 ઈડબ્લ્યૂએસ, 120 ઓબીસી, 69 એસસી, 35 એસટી કેટેગરી માટે આરક્ષિત છે. આ ભરતીઓમાં વિભિન્ન ટ્રેડ માટે થવાની છે. ઉલ્લેખનીય છે કે એપ્રેન્ટિસની ભરતી છે એટલા માટે તેમા પરીક્ષા નથી.

ADVERTISEMENT
યોગ્યતા અને ઉંમર
આ પદો માટે આવેદન પત્ર ભરનારા ઉમેદવારો પાસે 10 પાસની માર્કશીટ અને પદ સંબંધિત ટ્રેડમાં આઈટીઆઈ સર્ટિફિકેટ હોવું જરુરી છે. તેમની ઉંમર 24 વર્ષની હોવી જોઈએ. ઉંમરની ગણતરી 01-07-20 સુધી કરવામાં આવશે. વધારે ઉંમરની છુટછાટમાં ઓબીસી વર્ગ માટે 3 વર્ષ, એસસી, એસટી વર્ગ માટે 5 વર્ષ અને દિવ્યાંગો માટે 10 વર્ષની છુટ આપવામાં આવી છે. પસંદગી પામનારની 1 વર્ષ માટે ટ્રેનિંગ થશે. છત્તીસગઢ સરકાર નિયમાનુંસાર તેમને સ્ટાઈપેન્ડ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.