બ્રેકિંગ ન્યુઝ
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર
આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ
ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક
રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Sardar Sarovar Dam overflowed, releasing 19 lakh cusecs of water, water level in Narmada river increased.
Dinesh
Last Updated: 07:29 PM, 17 September 2023
Narmada News : મધ્યપ્રદેશમાં અને મધ્ય ગુજરાતમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. અને ભારે વરસાદના કારણે સરદાર સરોવર ડેમ છલકાતા 19 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા નદી ગાંડીતૂર બની છે. પાણીનો પ્રવાહ એટલો છે કે, હાઈવે પણ બંધ કરવાની નોબત આવી છે. બીજી તરફ તિલકવાડા, નાંદોદ, રાજપીપળા તેમજ ભરૂચમાંથી 6000થી વધુ લોકોનું સ્થળાંતર કરવાની જરૂર પડી છે. જ્યારે નદીકાંઠાના તમામ ગામડાઓને એલર્ટ કરી દેવાયા છે.
કાંઠા વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ
નર્મદા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે ભરૂચ, રાજપીપળાના અનેક વિસ્તારોમાં નર્મદાના પાણી ઘૂસી ગયાં હતાં. તો કાંઠા વિસ્તારના ઘરો પાણીમાં ગરકાવ થઈ જતાં લોકોનું સ્થળાંતર કરાયું હતું. નર્મદાના પ્રવાહને જોતા તંત્રને પણ હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યું છે. કારણ કે, ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની જળસપાટી 29 ફૂટ સુધી પહોંચી છે. બીજી તરફ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયાના નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે.
SDRF ની ટીમો તૈનાથ
સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવતા જ આહલાદક નજારો જોવા મળ્યો બીજી તરફ સ્ટેચ્યૂ ઓપ યુનિટીની આસપાસ પણ નર્મદાના નદીના પાણી ફરી વળ્યા છે. જેના કારણે આ નજારાને માણવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમ આ વર્ષે પ્રથમ વખત સંપૂર્ણ ભરાયો છે. નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર પહોંચી ગઈ છે. જેના કારણે ડેમમાં 18 લાખ 62 હજાર ક્યૂસેકથી પણ વધુ પાણીની આવક થતાં હાલ ડેમના 23 દરવાજા 9.70 મીટર સુધી ખોલમાં આવ્યા છે. અને આ કારણે કેવડિયા ખાતે આહલાદક નઝારો જોવા મળ્યો હતો. બીજી તરફ ડેમમાંથી પાણી છોડાતા નદી ગાંડીતૂર બની છે. જેને ધ્યાને રાખતા જિલ્લામાં સાવચેતીના ભાગરૂપે SDRF ની ટીમોને તૈનાત કરવામાં આવી છે.
લોકોને રેસક્યું કરવા એરફોર્સની મદદ લેવાઇ
ગત રોજ નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદાનાં નીચાણવાળા વિસ્તારનાં અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. વડોદરા જીલ્લાનાં બરકાલ ગામનાં બેટમાં લોકો ફસાયા હતા. વ્યાસ બેટમાં 12 લોકો ફસાયા હતા. જેથી લોકોએ મંદિરનાં ધાબા પર આશરો લીધો હતો. લોકોને રેસ્ક્યું કરવા એરફોર્સની મદદ લેવાઈ હતી. અનેક જગ્યાએ રોડ પર પાણી ફરી વળ્યા હતા.
રેસ્કયૂ ઓપરેશન
નર્મદાના રાજપીપળામાં નીચાણવાળા વિસ્તારમાં 50 લોકો ફસાયા હતાં. કુંભારવાડા અને ભોઈવાડ વિસ્તારમાં પાણી ભરાતા લોકો ફસાયા હતાં. ઘર, મદિર અને ઉચાણવાળા વિસ્તારોમાં લોકો રહેવા મજબૂર બન્યા છે. માંગરોળ ગામે વાયબ્રન્ટ સ્કૂલમાં ફસાયેલા બાળકોનું રેસ્કયૂ કરાયું છે. વાયબ્રન્ટ સ્કૂલમાં પ્રિન્સિપાલ શિક્ષકો સહિત બાળકોનું રેસ્ક્યૂ કરાયું છે. SDRFની ટીમે બોટ દ્વારા બિસ્કીટ પાણી પહોંચાડ્યું છે. તેમજ હાલ 6 બાળકોને રેસ્કયૂ કરી માંગરોળ ટેકરા પર લાવવામાં આવ્યા છે. DySP જી.એ.સરવૈયા સહિત પોલીસ ટીમ અને SDRFની ખડેપગે છે.
નર્મદા નદી ગાંડીતૂર
નર્મદા ડેમમાંથી પાણી છોડવા આવતા ભરૂચ શહેર અને તાલુકાના ગામો સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. અંકલેશ્વર અને ઝગડિયા તાલુકાને પણ અસર થઈ છે. જિલ્લામાં કુલ 5744 લોકોનું સ્થળાંતર કરાયુ તેમજ 3500થી વધુ લોકોને શેલ્ટર હોમમાં રખાયા છે. શેલ્ટર હોમમાં રહેવા-જમવા અને મેડિકલ સહિતની સુવિધાઓ ઉપલ્બધ કરાઈ છે. પશુધનને પણ શિફ્ટ કરવામાં આવ્યા છે. અત્રે જણાવી દઈએ કે, ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીનું ભયજનક જળસ્તર 24 ફૂટ છે જ્યાં હાલ 36 ફૂટે પાણી વહીં રહ્યું છે
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime