બ્રેકિંગ ન્યુઝ
પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે
ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ
ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ
સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ
રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો
અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ
લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા
T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં
જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર
પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ
Vishal Khamar
Last Updated: 04:01 PM, 2 September 2023
સાળંગપુર હનુમાનજી મંદિરનો વિવાદ વધુ પેચીદો બની રહ્યો છે. તો બીજી તરફ સાધુ સંતો હવે લડાયક મૂડમાં છે. ત્યારે આ બાબતે ઋષિ ભારતી બાપુએ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, અમદાવાદનાં લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠક મળશે. આવતીકાલે 150 થી વધુ સાધુ-સંતો લંબે નારાયણ આશ્રમ ખાતે આવશે. ત્યારે જો શાંતિપૂર્ણ નિરાકરણ આવે તે માટે પ્રયાસ થશે. અને જો શાંતિપૂર્ણ નિરાકરણ નહી આવે તો બીજી રીતે સમજાવવા પડશે. તે શાસ્ત્ર અને શસ્ત્ર બંને રીતે સમજાવતા આવડે છે. હનુમાનજીને સહજાનંદનાં ભક્ત બતાવ્યા તે માત્ર દૂર થવા જોઈએ. તેમજ આવો વિવાદ ફરી ન થાય તે માટે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે.
મીટીંગમાં પ્રેમ પૂર્વક કઈ રીતે માર્ગ નીકળે તેનાં પ્રયાસો કરવામાં આવશેઃ ઋષિ ભારતી બાપુ
આ બાબતે ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું કે, આવતીકાલે રવિવારનાં રોજ સવારે લંબે નારાયણ આશ્રમ શાંતિપુરા ખાતે સંતોની મીટીંગનું આયોજન થયેલ છે. ત્યારે આ મીટીંગમાં સૌ પ્રથમ પ્રેમ પૂર્વક કઈ રીતે માર્ગ નીકળે તેનાં પ્રયાસો કરવામાં આવશે. જો શાંતિથી આ સમસ્યાનું સમાધાન થઈ શકે તો ઉત્તમ વાત છે. નહીતર આપણી બીજી પરંપરા એવી પણ રહી છે. કે જો ષઠ લોકો બીજી ભાષામાં ન સમજે તો બીજી રીતે સમજાવવા પડે. સનાતન ધર્મનાં ભાઈ-બહેનોનો, સાધુ સંતોનો એક જ પ્રશ્ન છે કે હનુમાન દાદાને સહજાનંદ સ્વામીનાં જે દાસ બનાવ્યા છે એ ભીંત ચિત્રો દૂર થવા જોઈએ તે અમારી માંગણી છે તો એ ભીંત ચિત્રો હજુ કેમ દૂર નથી થતા.
ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવામાં આવ્યો
સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને વિવાદ ઉગ્ર બન્યો છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતેથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. સાળંગપુર મંદિર ખાતે અજાણ્યા હનુમાન ભક્ત દ્વારા હનુમાનજીની વિશ્વ વિખ્યાત 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવામાં આવ્યો છે. સાથે જ તોડફોડ કરવામાં આવી છે.
મારુતિ નંદન આપણા ભગવાન છે: સાંસદ રામભાઈ મોકરિયા
સાંસદ રામભાઈ મોકરિયાએ કહ્યું કે, હું મારુતિ નંદનનો ભક્ત છું, મારુતિ નંદન આપણા ભગવાન છે, તેમનું સન્માન જળવાવું જોઈએ. આ ચિત્રો વ્યાજબી નથી, તેને હટાવી નાખવા જોઈએ. સનાતમ ધર્મમાં અંદરોઅંદર વિવાદ થાય અને અન્ય લોકો રાજી થાય એવું ન થવું જોઈએ.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ટિપ્પણી / 'ઘમાસાણ શાનું હતું', સી.આર.પાટીલે ભાજપના કાર્યકરોને આપી કડક ચેતવણી, સાબરકાંઠાનો મુદ્દો
Election 2024
રાશિ / 1 વર્ષ બાદ બન્યો ગજકેસરી યોગ! આ 3 રાશિના લોકોને મળશે દુનિયાના એશો આરામ
Laxmi Narayan Yog
લોકસભા ચૂંટણી 2024 / 'આ વખતે બાપુ બચ્યાં હતા, તો...', પરેશ ધાનાણીના વિવાદિત નિવેદન પર CR પાટીલે કહ્યું 'ગુજરાતમાં હાર દેખાઇ રહી છે એટલે...'
Rajkot Lok Sabha seat
સ્પોર્ટ્સ / 'મેચ જલ્દી ખતમ કરો; બાળક આવવાનું છે', આખરે કેમ લાઇવ મેચમાં સાક્ષી ધોનીએ CSKને કરી આવી અપીલ
સ્પોર્ટ્સ ન્યુઝ