બ્રેકિંગ ન્યુઝ
ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે પૂરક પરિક્ષાના ફોર્મ ભરવા માટેની 1 દિવસની સમય મર્યાદા વધારાઈ
ભાવનગરના બોર તળાવમાં 5 બાળકીઓ ડૂબી જતા 4ના મોત
દિલ્હીઃ દારૂ કૌભાંડ મામલે 'આપ'ના નેતા મનીષ સિસોદિયાની જ્યુડિશિયલ કસ્ટડી લંબાવાઈ
જમ્મુ-કાશ્મીરઃ પુલવામાના ત્રાલમાં સૈન્ય અને આતંકીઓ વચ્ચે ગોળીબાર
સ્માર્ટ વીજ મીટરને લઈ ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજકોટમાં પોલીસ ભરતી માટે તૈયારી કરતા યુવાનનું મોત
સ્વાતિ માલીવાલ કેસમાં દિલ્હી પોલીસે બનાવી SITની ટીમ
અમદાવાદ: 23 જૂનથી શરૂ થશે પીજી નીટની પરીક્ષા, પરીક્ષામાં લાગુ કરાશે નવી પદ્ધતિ
અમદાવાદ: CAની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર, ચાર વિષયની લેવાશે ઓનલાઈન પરીક્ષા
લોકસભાના પાંચમા ચરણમાં કુલ 58.73 ટકા મતદાન નોંધાયું
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / બનાસકાંઠાના પશુપાલકોની સરકાર પાસે શું અપેક્ષા? જાણો મતદારોનો મિજાજ
Last Updated: 12:48 PM, 1 May 2024
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસોમાં ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. મતદારોને રીઝવવા માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો અનેક સભાઓ ગજવી રહ્યા છે. ત્યારે બનાસકાંઠા ચૂંટણીમાં કાંટાની ટક્કર જોવા મળી રહી છે. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી મેદાનમાં છે. તો કોંગ્રેસમાંથી ગેનીબેન ઠાકોર મેદાનમાં છે. બંને મહિલા ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે. ત્યારે બનાસકાંઠામાં હવે રંગ જામ્યો છે.. ત્યારે vtv એ બનાસકાંઠામાં ચૂંટણીના માહોલ જાણવા માટે પશુપાલકોનું મિજાજ જાણ્યો હતો.
ADVERTISEMENT
ADVERTISEMENT
વર્ષોથી પશુપાલન અને ખેતી કરતા વડીલો જ્યારે એક સાથે બેસીને ચર્ચા કરી રહ્યા હતા. તે સમયે vtv ની ટીમ એ પહોંચી અને બનાસકાંઠા જિલ્લાનું મિજાજ અને માહોલ જાણવાના પ્રયત્ન કર્યો હતો. જેમાં વડીલોનું કહેવું છે કે વર્ષો પહેલા જ્યારે પાણી નહોતું ત્યારે ખૂબ મુશ્કેલી હતી પશુપાલન કરવું પણ મુશ્કેલ બન્યું હતું. ત્યારે ભાજપ સરકારે કેનાલો દ્વારા જે પાણી પૂરું પાડ્યું છે. તેને લઈને ભાજપની જીત થાય તેવો આશાવાદ પણ પશુપાલકોએ વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ બનાસકાંઠામાં પાણી આવવાથી પશુપાલન વ્યવસાયમાં વધારો થયો અને પશુપાલકો વધુ દૂધ ભરાવતા થયા અને બનાસ ડેરી દ્વારા પશુપાલકોને પૈસા મળતા થયા તેનાથી પશુપાલકો પણ સધ્ધર થયા છે. જેનાથી તેઓ ભાજપ સરકારનું આભાર માની અને સમર્થન પણ આપી રહ્યા છે. રોજગારીની વાતને લઈને વડીલોનું કહેવું છે કે જેને કામ કરવું છે તેને કોઈ રોજગારીની સમસ્યા નડતી નથી જે લોકો કામ કરે એને રોજગારી મળે જ છે.
બનાસકાંઠામાં વર્ષો પહેલા બહાર રોજગારી માટે જવું પડતું હતું. પરંતુ અત્યારે પશુપાલન અને ખેતી કરીને પણ લોકો સારી રીતે કમાય છે. કારણ કે બનાસકાંઠામાં સૌથી મોટી પાણીની સમસ્યા હતી. સરહદી વિસ્તારમાં તે વિસ્તારમાં કેનાલો દ્વારા પાણી આપવામાં આવ્યું છે. જેનાથી ખેડૂતો પણ આર્થિક સધ્ધર બન્યા છે. પહેલા કર્ફ્યુના કારણે બહાર જવાનું ટાળવું પડતું હતું. છેલ્લા કેટલા વર્ષોથી કર્ફ્યું નથી સુખ શાંતિ છે ત્યારે વડીલ પશુપાલકો છે તેવો દેશમાં અમન અને સુખ શાંતિ ને લઈને પણ મોદીને મત આપવા પડે તેવું કહી રહ્યા છે.
વડીલ લોકોનું કહેવું છે કે વર્ષો પહેલા દેશ નાં અર્થતંત્ર અને હાલના અર્થતંત્રમાં ઘણો ફરક છે પહેલા વિદેશ સાથે જે સંબંધો હતા તેના કરતા હાલ ભારતના વિદેશોમાં સંબંધ સારા બન્યા છે અર્થતંત્ર મજબૂત બન્યું છે અત્યારે બીજા દેશો છે તે ભારત સાથે સંબંધો વધારી રહ્યા છે. આજે દુનિયાના દેશો મધ્યસ્થી કરવા ભારત સામે અપીલ કરે છે. કોંગ્રેસ નાં સમય માં કર્ફ્યું લાગતા હતા આજે દેશ માં સુરક્ષિત હોવાનું પણ લોકો માની રહ્યા છે. ત્યારે બનાસકાંઠા માં હાલ તો લોકો ઉમેદવાર ગમે તે હોય પરંતુ મોદી સરકાર નાં કામો ને જોઈ ભાજપ ને સમર્થન કરતા જોવા મળી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
લોકસભા ચૂંટણી 2024 / ગુજરાત ભાજપમાં લોકસભાની ચૂંટણી કરતાં વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામમાં વધુ રસ!
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT