બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:52 PM, 16 February 2024
ADVERTISEMENT
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના કટ્ટર વિરોધી અને વિપક્ષી નેતા એલેક્સી નવલનીનું જેલમાં મૃત્યુ થયું હોવાના અહેવાલ છે. તે લાંબા સમયથી જેલમાં હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું મૃત્યુ યામાલો-નેનેટ જેલમાં થયું હતું.
રિપોર્ટ અનુસાર, યામાલો-નેનેટ્સ ઓટોનોમસ ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશને એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે શુક્રવારે જેલમાં ચાલ્યા પછી નવલનીની તબિયત સારી નહોતી. તેણે જણાવ્યું હતું કે તેને ઠીક નથી, ત્યારબાદ તે બેભાન થઈ ગયો. આ પછી મેડિકલ સ્ટાફને બોલાવવામાં આવ્યો, પરંતુ તે હોશમાં આવી શક્યો નહીં. જો કે તેમના મૃત્યુના કારણો હજુ સુધી જાણવા મળ્યા નથી.
ADVERTISEMENT
નવલની પર 2017માં જીવલેણ હુમલો થયો હતો. હુમલામાં તેની આંખમાં ગંભીર ઈજા થઈ હતી. 2018 માં, તેણે રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉભા રહેવાનો પ્રયાસ કર્યો પરંતુ છેતરપિંડીના આરોપોને કારણે ચૂંટણીમાં ઉમેદવારી ન કરી શકાઇ.. નવલનીએ આને સરકારનું કાવતરું ગણાવ્યું હતું. જુલાઈ 2019 માં મોટા વિરોધની જાહેરાત કર્યા પછી નવલનીને 1 મહિના માટે જેલમાં મોકલવામાં આવ્યો હતો.
ADVERTISEMENT
તે સમયે જેલમાં તેમની તબિયત બગડતાં તેમને ઝેર આપવાનો પ્રયાસ કરાયો હોવાનું કહેવાય છે. આ પછી વર્ષ 2020માં પણ તેમને ઝેર આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે ફ્લાઈટમાં બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા, ત્યારબાદ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ડિસ્ચાર્જ પછી નવલની ધરપકડની ધમકી વચ્ચે 2021 માં રશિયા પરત ફર્યા. રશિયામાં પગ મૂકતાની સાથે જ સેનાએ તેમની ધરપકડ કરી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
નવલનીએ યુક્રેન યુદ્ધને લઈને જેલમાંથી પુતિન વિરુદ્ધ પ્રચાર કર્યો હતો. ઓગસ્ટમાં સજા સંભળાવવામાં આવ્યા બાદ નવલનીએ કહ્યું કે આટલા વર્ષોની સજાથી તેમને કોઈ ફરક પડતો નથી.
ADVERTISEMENT
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.