હાલ રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે. ત્યારે યૂક્રેનમાં વસતા ભારતીયોના શ્વાસ અધ્ધર તાલ થયા છે. તેવામાં એર ઇન્ડિયાએ રાહતના સમાચાર આપ્યા છે.
યૂક્રેનમાં ફંસાયેલા ભારતીયો માટે દેવદૂત બની એર ઇન્ડિયા
22 ફેબ્રુઆરીથી ઑપરેટ કરશે 3 ફ્લાઇટ્સ
22, 24 અને 26 ફેબ્રુઆરીએ એર ઇન્ડિયાની ફ્લાઇટ્સ
રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા સંકટના કારણે મોટી સંખ્યામાં ભારતીય વિદ્યાર્થી અને નાગરિક યૂક્રેનમાં ફસાયા છે. તેની સુરક્ષા પર ખતરો મંડરાઇ રહ્યો છે. ત્યારે, એર ઇન્ડિયાએ ભારતીઓને યૂક્રેનથી બહાર કાઢવા માટે ફ્લાઇટ્સ ઑપરેટ કરવાનો નિર્ણય લીધો છે. એર ઇન્ડિયા 22, 24 અને 26 ફેબ્રુઆરી 2022એ ભારત-યૂક્રેન વચ્ચે 3 ફ્લાઇટ્સને ઑપરેટ કરશે. ભારતથી આ વિમાન બોરિસ્પિલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચશે. ફ્લાઇટ્સ માટે બુકિંગ એર ઇન્ડિયા બુકિંગ કાર્યાલયો, વેબસાઇટ, કૉલ સેન્ટર અને અધિકૃત ટ્રાવેલ એજન્ટો દ્વારા કરી શકાશે.
#FlyAI : Air India will operate 3 flights between India-Ukraine (Boryspil International Airport) India on 22nd, 24th & 26th FEB 2022
Booking open through Air India Booking offices, Website, Call Centre and Authorised Travel Agents.@IndiainUkraine
હિન્દુસ્તાન ટાઇમ્સના રિપોર્ટ અનુસાર, યૂક્રેનમાં 20 હજાર ભારતીય નાગરિક રહે છે, જેમાંથી 18 હજાર ભારતીય વિદ્યાર્થી છે. રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા વિવાદના કારણે ભારત માટે ફ્લાઇટ્સ મોંઘી થઇ ગઇ છે અને 20 ફેબ્રુઆરી બાદ જ ઉપલબ્ધ છે.
સૂત્રોએ બુધવારે કહ્યું કે, ભારત અને યૂક્રેન વચ્ચે ફ્લાઇટ્સ સંખ્યા વધારવા વિદેશ મંત્રાલય અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયો અને કેટલીક એરલાઇનનો વચ્ચે ચર્ચા ચાલી રહી છે. યૂક્રેનની શિક્ષા અને વિજ્ઞાન મંત્રાલય અનુસાર, યૂક્રેનમાં અભ્યાસ કરનારા વિદેશી વિદ્યાર્થીઓમાંથી 24 ટકા ભારતના છે.