બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / Running on an empty stomach has these benefits

હેલ્થ ટિપ્સ / સવાર-સવારમાં ખાલી પેટ દોડવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક કે નુકસાનકારક? જાણો શું કહે છે નિષ્ણાંત

Pooja Khunti

Last Updated: 03:29 PM, 26 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હ્રદય રોગનું જોખમ ઓછું કરવા માટે તમારે દરરોજ નિયમિત રીતે 10 થી 15 મિનિટ સુધી દોડવું જોઈએ. દોડવાના કારણે હ્રદય સક્રિય બને છે અને આ સાથે રક્ત પરિભ્રમણ પણ સુધરે છે.

લોકો ખરાબ જીવનશૈલીને સુધારવા અને સ્વાસ્થ્યને સારું રાખવા માટે અનેક પ્રયત્ન કરે છે. કેટલાક લોકો દોડવા જવાનું પસંદ કરે છે. દોડવાના કારણે શરીરનું રક્ત પરિભ્રમણ સારી રીતે કામ કરે છે. જેના કારણે બીમારીથી રક્ષણ મળે છે. દોડવાથી વજન તો ઓછું થાય જ છે. આ સાથે રોગપ્રતિકારક શક્તિ અને સ્નાયુઓ પણ મજબૂત થાય છે. ઘણા લોકો સવારે ખાલી પેટ દોડવાનું પસંદ કરે છે તો કેટલાક લોકો હળવો નાસ્તો કર્યા બાદ દોડવાનું પસંદ કરે છે. 

ખાલી પેટ દોડવાથી આ ફાયદાઓ થાય છે 

સ્થૂળતા દૂર થાય છે 
જે લોકોના શરીરમાં સ્થૂળતા વધી ગઈ હોય તેણે સવારે ખાલી પેટ દોડવા જવું જોઈએ. તમારું વજન ઓછું થઈ જશે. 

હ્રદય સ્વસ્થ રહે છે 
હ્રદય રોગનું જોખમ ઓછું કરવા માટે તમારે દરરોજ નિયમિત રીતે 10 થી 15 મિનિટ સુધી દોડવું જોઈએ. દોડવાના કારણે હ્રદય સક્રિય બને છે અને આ સાથે રક્ત પરિભ્રમણ પણ સુધરે છે. 

પાચન 
જે લોકોને પેટને લગતી સમસ્યાઓ હોય તેણે સવારે ખાલી પેટ દોડવું જોઈએ. તેનાથી તમારું પાચન તંત્ર મજબૂત બનશે. 

તમને સારી ઊંઘ આવશે 
જે લોકો સવારે દોડે છે, તેમને રાત્રે સારી ઊંઘ આવે છે. જે લોકોને રાત્રે મોડે સુધી ઊંઘ નથી આવતી, તેમણે સવારે દોડવા જવું જોઈએ. 

વાંચવા જેવું: જીમમાં દબાવીને પ્રોટીન શેક પીનારા સાવધાન! નહીં તો હાર્ટને પહોંચશે નુકસાન, રિસર્ચમાં ઘટસ્ફોટ

સવારે ખાલી પેટ દોડવાથી થતું નુકસાન 

થાક લાગી શકે છે 
કેટલાક લોકો સવારે ખાલી પેટ દોડે છે તો તેને થાક લાગી જાય છે. જે લોકો સવારે ખાલી પેટ દોડે છે, તેનું શરીર ફેટને એનર્જીમાં ફેરવે છે. જે લાંબા સમય સુધી શક્ય નથી. જેના કારણે તમને થાક લાગવા લાગે છે. 

ઇજા થઈ શકે છે 
જ્યારે શરીરમાં એનર્જી ઓછી હોય છે ત્યારે થાક લાગે છે અને થાક લાગવાને કારણે ઇજા થવાની સંભાવનાઓ વધી જાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ