IPLમાં હવે અમદાવાદ અને લખનઉની ટીમને સ્થાન મળ્યું છે. આરપી સંજીવ ગોયંનકા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડમાં તો CVC ગ્રુપની ઈરેલિયાએ અમદાવાદની ટીમને 5600 કરોડમાં ખરીદી છે.
IPLની બે નવી ટીમની જાહેરાત
અમદાવાદ અને લખનઉની ટીમની જાહેરાત
આરપી સંજીવ ગોયંનકા ગ્રુપે લખનઉની ટીમ ખરીદી
CVC કેપિટલે અમદાવાદની ટીમ ખરીદી
IPLની બે નવી ટીમની જાહેરાત કરી દેવાઈ છે. આરપી સંજીવ ગોયંનકા ગ્રુપે લખનઉની ટીમને 7,090 કરોડમાં તો CVC ગ્રુપની ઈરેલિયાએ 5600 કરોડમાં અમદાવાદની ટીમને ખરીદી છે.
Ahmedabad and Lucknow to be the two new teams at Indian Premier League (IPL). CVC Capital Partners gets Ahmedabad while RPSG Group gets Lucknow. pic.twitter.com/0zmQS7nQEb
બોલી લગાવનારાઓમાં અદાણી ગ્રુપ, ઇંગ્લિશ ફૂટબોલ ક્લબ માન્ચેસ્ટર યુનાઇટેડના માલિક ગ્લેઝર ફેમિલી, ટોરેન્ટ ફાર્મા, અરવિંદ ફાર્મા, આરપી-સંજીવ ગોએન્કા ગ્રુપ, હિન્દુસ્તાન ટાઇમ્સ મીડિયા ગ્રુપ, ભૂતપૂર્વ પ્રધાન નવીન જિંદાલના જિંદાલ સ્ટીલ, રોની સ્ક્રૂવાલા અને ત્રણ પ્રાઇવેટ ઇક્વિટી સહયોગી ઓ હતા. પરંતુ અંતે ગોએન્કા ગ્રુપ અને સીવીસીના ભાગીદાર શરત લગાવી શક્યા.
સંજીવ ગોએન્કાની માલિકીની રાઇઝિંગ પૂણે 2016 અને 2017ની સિઝનમાં રમી ચૂકી છે
સંજીવ ગોએન્કાની માલિકીની રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સ અગાઉ આઇપીએલમાં 2016 અને 2017ની સિઝનમાં રમી ચુકી છે. 2016ની આઇપીએલ સિઝનમાં ટીમનું પ્રદર્શન નબળું રહ્યું હતું અને ટીમ 2016માં પ્લેઓફમાં પ્રવેશવામાં નિષ્ફળ રહી હતી. રાઇઝિંગ પૂણે સુપરજાયન્ટ્સને અંતિમ આઇપીએલ 2017માં મુંબઈ ઈન્ડિયન્સે 1 રનથી હરાવી હતી.
Heartiest congratulations to Irelia Company Pte Ltd (CVC group) for getting #IPLNewTeam of A’bad, welcome to Narendra Modi Stadium and to RPSG for getting Lucknow team. @JayShah@IPL@BCCI@GCAMotera
2022 માં 8 ને બદલે 10 ટીમ IPLમાં રમશે
બે નવી ટીમના સમાવેશ બાદ 2022 ની આઇપીએલમાં 8 ને બદલે 10 ટીમ રમશે. આઇપીએલમાં મેચોની સંખ્યા પણ ૬૦ થી વધીને ૭૪ થઈ જશે. ખેલાડીઓની વાત કરવામાં આવે તો બે ટીમોમાં વધારા સાથે ઓછામાં ઓછા 45થી 50 નવા ખેલાડીઓને આઇપીએલમાં રમવાની તક મળશે. ભારતીય ટીમના 30થી 35 યુવા ખેલાડીઓ પણ હશે.