બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / Vastu Tips: તમારા ખિસ્સામાં પણ પૈસા નથી ટકતા? બસ અત્યારે જ કરી લો આ 5 કામ

photo-story

7 ફોટો ગેલેરી

ધર્મ / Vastu Tips: તમારા ખિસ્સામાં પણ પૈસા નથી ટકતા? બસ અત્યારે જ કરી લો આ 5 કામ

Last Updated: 12:23 AM, 11 July 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

ઘરમાં પડેલી અમુક વસ્તુના લીધે પરિવારની આર્થિક સ્થિતિ ખરાબ રીતે પ્રભાવિત થાય છે. જેમાં પૈસા ટકતા નથી. પણ તમે અમુક ઉપાય કરીને આ સમસ્યાથી બચી શકો છો.

1/7

photoStories-logo

1. વાસ્તુ શાસ્ત્ર

અમુક લોકોને દિવસ-રાત મહેનત કરવા છતાં પણ પૈસા ટકતા નથી. જેમાં નસીબ ફેક્ટર નથી હોતું પરંતુ ઘરમાં રાખેલી વસ્તુઓની ખોટી દિશા પણ હોય છે. જુના જમાનામાં પરસાળ બનાવતી વખતે દિશાઓનું ખૂબ ધ્યાન રાખવામાં આવતું હતું. આજે જો તમારું પૂર્વજોનું ઘર પહેલેથી જ બનેલું હોય તો તમારે કોઈ પણ દિવાલો તોડવાની જરૂર નથી. એક પણ પૈસો ખર્ચ્યા વગર ઘરની વસ્તુઓને ફરીથી ગોઠવીને તમે તમારા ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પાછી લાવી શકો છો. ચાલો તેના વિષે જાણીએ.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. પીવાના પાણીનો વાસણ અને પાણીનું સ્થાન

પીવાના પાણીનો વાસણ અને પાણીનું સ્થાન પીવાના પાણીના વાસણને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. પીવાનું પાણી હંમેશા ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં રાખવું જોઈએ. આ દિશાને દેવી-દેવતાઓનું નિવાસસ્થાન માનવામાં આવે છે. આથી માટલા અને ઘડાને યોગ્ય દિશામાં પાણી મૂકવાથી પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય સારું રહે છે અને બીમારીઓ પર બિનજરૂરી ખર્ચ થતો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ચૂલા અને રસોડાની યોગ્ય દિશા

વાસ્તુ મુજબ રસોડું ઘરનું પાવરહાઉસ મનાય છે. જેમાં તમારા માટીના ચૂલા કે ગેસ સિલિન્ડરને દક્ષિણપૂર્વ દિશામાં રાખવાનો પ્રયાસ કરો. ઘરની સ્ત્રી માટે રસોઈ બનાવતી વખતે પૂર્વ તરફ મુખ રાખવું જોઈએ. તેનાથી ઘરમાં અન્નપૂર્ણા અને સમૃદ્ધિ આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. અનાજના ભંડારનો યોગ્ય ખૂણો

ખેડૂત પરિવારોમાં અનાજનો સંગ્રહ ખૂબ જ મહત્વનું હોય છે. જેમાં આખા વર્ષ દરમિયાન લણાયેલ અનાજ હંમેશા ઘરના પશ્ચિમ કે દક્ષિણપશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. આ દિશામાં સંગ્રહિત અનાજ સુરક્ષિત રહે છે અને અન્નનો ભંડાર ક્યારેય ખાલી જતો નથી.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. ઉંબરો અને મુખ્ય દરવાજો

ઘરનો મુખ્ય દરવાજો સકારાત્મક ઉર્જા અને લક્ષ્મીનો પ્રવેશદ્વાર મનાય છે. તેને હંમેશા સ્વચ્છ રાખો. સવારે દરવાજા પર પાણી છાંટવાથી અને સાંજે ત્યાં દીવો પ્રગટાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. જેમાં એ વાતની ખાતરી કરો કે દરવાજાની આસપાસ ક્યારેય કચરો કે કાંટાવાળી ઝાડીઓ ન હોય.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. તૂટેલી વસ્તુઓ અને ભંગાર

આપણે ઘણીવાર જૂની વસ્તુઓ સ્ટોર કરીએ છીએ. જેમાં એવું વિચારાતું હોય છે તે કોઈ દિવસ ઉપયોગી થશે. પરંતુ ઘરના કોઈપણ ખૂણામાં તૂટેલા પલંગ, કાટ લાગેલી લોખંડની વસ્તુઓ કે તૂટેલી ઘડિયાળો ન રાખો. આ વસ્તુઓ ઘરમાં પ્રગતિને અવરોધે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. DISCLAIMER

ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

water pot vastu shastra direction
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ