બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / અન્ય જિલ્લા / હાઈકોર્ટના ચુકાદા બાદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક, તો 5મીએ રીબડામાં શક્તિ પ્રદર્શન!
Last Updated: 12:40 PM, 3 September 2025
Ribda Amit Khunt Case : રાજકોટના બહુચર્ચિત ગામ રિબડાને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રીબડા ગામના પાટીદાર યુવાન અમિત ખૂંટના આત્મહત્યાકાંડમાં આરોપીઓના આગોતરા જામીન અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્ત્વપૂર્ણ સુનાવણી કરવામાં આવી હતી. અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પર હવે હાઇકોર્ટએ ચુકાદો અનામત રાખ્યો છે. આ તરફ અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં હવે ક્ષત્રિય સમાજ તરફથી ખુલ્લું શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આગામી 5 સપ્ટેમ્બર, શુક્રવારે સમાજના લોકોએ રીબડા ગામે એકત્ર થવા આહ્વાન કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અમિત ખૂંટના આત્મહત્યાકાંડમાં મોટી અપડેટ
રીબડા ગામના પાટીદાર યુવાન અમિત ખૂંટના આત્મહત્યાકાંડમાં ગૂંચવાયેલા આરોપીઓના આગોતરા જામીનને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં નિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજાની આગોતરા જામીન અરજી પર હવે હાઇકોર્ટએ ચુકાદો અનામત રાખ્યો છે. મહત્વનું છે કે, આ કેસમાં પહેલા ગોંડલ સેશન કોર્ટમાંથી જામીન ના મળતા બંને આરોપીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
ADVERTISEMENT
શું કહેવું છે પોલીસનું ?
પોલીસના જણાવ્યા અનુસાર આત્મહત્યાની ઘટનાના પગલે મળેલી સુસાઇડ નોટના આધારે આરોપીઓને ચિહ્નિત કરવામાં આવ્યા હતા અને વધુ તપાસ માટે FSLની પણ મદદ લેવાઈ હતી. હાલમાં અનિરુદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને તેમના ડ્રાઈવર રહીમ મકરાણી ફરાર છે. છેલ્લા ચાર મહિનાથી રાજકોટ ગ્રામ્ય પોલીસ તેમની શોધમાં સતત પ્રયાસ કરી રહી છે.
ADVERTISEMENT

અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન
ADVERTISEMENT
જોકે હવે આ સમગ્ર મામલે હવે ક્ષત્રિય સમાજ પણ મેદાનમાં આવ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં હવે ક્ષત્રિય સમાજ તરફથી ખુલ્લું શક્તિ પ્રદર્શન કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે. આગામી 5 સપ્ટેમ્બર, શુક્રવારે સમાજના લોકોએ રીબડા ગામે એકત્ર થવા આહ્વાન કર્યું છે.
આ પણ વાંચો : સિંગતેલ મોંઘુ થયું, તહેવારોની સીઝનમાં જ જનતાને ઝટકો, જાણો ડબ્બે કેટલાનો વધારો
ADVERTISEMENT

વિશેષ વાત એ છે કે, અનિરુદ્ધસિંહ જાડેજા અગાઉ પણ પોપટ લાખા સોરઠીયા હત્યા કેસમાં 18 વર્ષની સજા ભોગવી ચૂક્યા છે. હાલ તેમના વિરુદ્ધ ફરી એકવાર કાર્યવાહી થતી હોવાને કારણે આ કેસને અન્યાય ગણાવીને સમાજમાં રોષ ફેલાયો છે.
ADVERTISEMENT

સોશિયલ મીડિયા પર પણ તેમના સમર્થનમાં પોસ્ટર અને અભિયાન વાયરલ થયા છે. કહેવાય છે કે, અનિરુદ્ધસિંહ જાડેજાને 18 સપ્ટેમ્બર સુધીમાં સરેન્ડર થવાનું છે અને તે પહેલાં જ સમર્થકો દ્વારા પત્રકાર પરિષદ અને શક્તિ પ્રદર્શન યોજવાની તૈયારી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.