બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / religion shani gochar saturn vakri in kumbh these zodiac- sign could be lucky

Shani Vakri 2023 / આ ચાર રાશિના જાતકોને ચાર મહિના સુધી જલસા! શનિની ચાલ બદલાવવાના કારણે મળશે શાનદાર પરિણામ

Kishor

Last Updated: 08:49 PM, 11 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શનિદેવ 5મી જૂનથી પોતાની ચાલમાં બદલાવ કરવા જઈ રહ્યા છે. જેના ભાગરૂપે સિંહ, તુલા અને મીન રાશિના જાતકોને ફાયદો થશે.

  • ન્યાય અને કર્મના દાતા શનિદેવની ચાલમાં બદલાવ
  • જુદી જુદી રાશિના જાતકોને મળશે ઝડપથી ફળ 
  • અત્યાર સુધી આગળ ચાલતા શનિદેવ હવે પાછળ વળવા જઈ રહ્યા છે

ન્યાય અને કર્મના દાતા ગણાતા શનિદેવ 5મી જૂનથી પોતાની ચાલમાં બદલાવ કરવા જઈ રહ્યા છે. જેના ભાગરૂપે અત્યાર સુધી આગળ ચાલતા શનિદેવ હવે પાછળ વળવા જઈ રહ્યા છે. આ વકીને પગલે તેમના ફળ જુદી જુદી રાશિના જાતકોને ઝડપથી મળશે. સાથે જ તમામ રાશિના લોકો પર તેની અસર વર્તાશે. જેમાં પણ ખાસ કરીને આ સમયગાળા દરમિયાન 3 રાશિના જાતકોને જોરદાર લાભ થવા જઈ રહ્યો છે. કાર્યમાં સફળતા અને આર્થિક સ્થિતિમાં મજબૂતીમાં મોટા પાયે વધારો જોવા મળી શકે છે.

સિંહ રાશિ માટે આજનો દિવસ રહેશે ઉત્તમ, જાણો શુક્રવારનું રાશિ ભવિષ્ય | Know  Your Friday Rashi Bhavishya 06122019

સિંહ રાશિ

શનિદેવની આ વક્રી સિંહ રાશિના જાતકોને વધુ લાભદાય નીવડી શકે છે. આ સમયગાળા દરમિયાન કોર્ટ-કચેરીના મામલામાં સફળતા મળી શકે છે. સાથે જ જીવનસાથીનો સહયોગ પણ પ્રાપ્ત થશે અને તેમની સાથે તાલમેલ સાથે જીવન વીતી શકે છે. તો હજુ લગ્ન નથી થયા તેવા અવિવાહિત લોકો માટે લગ્ન મામલે શુભ સંકેત મળી રહે છે અને પિતૃકટ સંપત્તિમાં લાભ મળી શકે છે તેમજ પાર્ટનરશીપમાં બિઝનેસ માટે પણ સફળતા મળવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.

આ વર્ષે મહાશિવરાત્રીએ અતિદુર્લભ યોગ, 8 રાશિના જાતકો માટે ખૂબ જ શુભ, જાણો  તમને લાભ થશે કે નુકસાન I Mahashivratri 2023 shubh yog, 8 rashi zodiacs  auspicious sanyog

તુલા રાશિ 

તુલા રાશિના જાતકોને પણ શનિદેવની આ વક્રી ખૂબ લાભદાય નીવડી શકે છે. શનિદેવ તુલા રાશિના પંચમ ભાવમાં વક્રી થવા જઈ રહ્યા છે ત્યારે ચતુર્થ ભાવના તે સ્વામી છે. આથી આ સમયગાળા દરમિયાન વાહન અથવા મિલકત ખરીદવા માટે ફાયદાકારક ગણાય રહ્યું છે. તેમજ તમામ ભૌતિક સુખની પ્રાપ્તિ થાય તેવું પણ જ્યોતિષશાસ્ત્રમાં જણાવાઈ રહ્યું છે. આ ઉપરાંત સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ સમાચાર તેમજ ધનલાભ પણ જોવા મળી રહ્યો છે એટલું જ નહીં પારિવારિક અને વ્યવસાયિક કાર્યોમાં જોડાયેલા માણસોને અને પ્રેમ સંબંધમાં પણ સફળતા મળી શકે છે.



મીન રાશિ

મીન રાશિના જાતકોને શનિદેવના વક્રીનો લાભ મળશે. કારણકે શનિદેવ તેની ગોચર કુંડળીના બારમાં ભાગમાં વક્રી થવા જઈ રહ્યા છે. આથી વ્યાપારમાં વૃદ્ધિ મળી શકે છે અને કોર્ટ કચેરીના મામલામાં તમારો વિજય થાય તેવી શકયતા રહી છે. તેમજ મીન રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં પણ વૃદ્ધિ થશે અને મનમાં ધારેલા કામ પણ પૂરા થઈ શકે છે. શુભ કાર્યની શરૂઆત સાથે શનિદેવની પનોતી ચાલી રહી હોય તેમને રાહત મળશે પરંતુ સાવધાન રહેવું જરૂરી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ