બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / મહિલાઓ શિવલિંગનો સ્પર્શ કરી શકે કે નહીં? જાણો શાસ્ત્રોના નિયમો

ધર્મ / મહિલાઓ શિવલિંગનો સ્પર્શ કરી શકે કે નહીં? જાણો શાસ્ત્રોના નિયમો

Maulik Patel

Last Updated: 07:30 AM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Should Women Touch the Shivling: ભારતીય સંસ્કૃતિના કણ કણ માં ઈશ્વર વસે છે. આ ભગવાન ભાવ અને ભક્તિના ભૂખ્યા છે. તેમાં પણ ભગવાન શિવને દેવોના દેવ મહાદેવ કહેવામાં આવે છે. ભગવાન શિવનો મહિમા અનેરો અને અદકેરો છે. શિવ ભકતો માટે શિવની આરાધના અને ઉપાસનાનો મહિનો એટલે શ્રાવણ માસ. તો આવો જાણીએ આખા મહિના દરમિયાન શિવની પૂજાના નિયમો.

Should Women Touch the Shivling: ભગવાન શિવની પૂજા કરવાથી આદી, અનાદી ભવના દુખ ભાંગી ને ભૂક્કો થઇ જાય છે. દેવ આદિદેવ મહાદેવ સાત્ત્વિક સહજ ભકિતથી પ્રસન્ન થનારા ભગવાન શિવ મહાપ્રલયકારી છે. અનિષ્ટોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે. શિવની પૂજા કરવાથી તેઓ ખુબજ તેના ભક્તો પર પ્રસન્ન થાય છે . પુરુષો અને મહિલાઓ શ્રાવણના સોમવારે ઉપવાસ પણ રાખે છે.

LORD SHIVA

આ સાથે, શિવભક્તો મંદિરોમાં મહાદેવના દર્શન કરવા અને શિવલિંગનો જલાભિષેક કરવા જાય છે. શિવલિંગ પર બીલીપત્ર, ચંદન અને અન્ય પૂજા સામગ્રી ચઢાવવામાં આવે છે. પરંતુ સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ કરી શકે છે કે નહીં? ચાલો જાણીએ. જ્યોતિષ શાસ્ત્રમાં, ભગવાન શિવના શિવલિંગ સ્વરૂપની પૂજા માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે, જેનું પાલન કરવું જરૂરી છે.

LADY-SHIV 1

શિવલિંગની પૂજા કરતી વખતે મહિલાઓએ કેટલીક ભૂલો ન કરવી જોઈએ

શિવલિંગની પૂજા કરતી વખતે મહિલાઓએ કેટલીક ભૂલો ન કરવી જોઈએ,નહીં તો તેમને પ્રતિકૂળ પરિણામો ભોગવવા પડી શકે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુશાર, શિવલિંગ એક પુરુષ તત્વ છે. તેથી, તેને સ્પર્શ કરવો સ્ત્રીઓ માટે વર્જિત માનવામાં આવે છે.

જોકે, જે સ્ત્રીઓ શિવલિંગને સ્પર્શ કરવા માંગે છે તેઓએ નંદી મુદ્રામાં ભગવાન શિવની પૂજા કરવી જોઈએ. શાસ્ત્રો અનુસાર, ફક્ત પરિણીત યુગલ અથવા પુરુષ જ શિવલિંગને સ્પર્શ કરી શકે છે. અપરિણીત સ્ત્રીઓ માટે શિવલિંગને સ્પર્શ કરવાની મનાઈ છે.

LADY-SHIV 1

નંદી મુદ્રા શું છે?.

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, નંદીજીની જેમ બેસવાને નંદી મુદ્રા કહેવામાં આવે છે. આ મુદ્રામાં, પહેલી અને છેલ્લી આંગળી સીધી રાખવામાં આવે છે. બે મધ્યમ આંગળીઓ અંગૂઠા સાથે જોડવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ મુદ્રામાં મહાદેવની પૂજા કરવાથી તેઓ પ્રસન્ન થાય છે.

vtv app promotion

ધાર્મિક માન્યતાઓ અનુસાર, શિવલિંગને સ્પર્શ કરવાની એક રીત છે. તેને સીધો સ્પર્શ ન કરવો જોઈએ. જો કોઈ સ્ત્રી શિવલિંગ પર તિલક લગાવવા માંગે છે, તો તેણે પહેલા શિવલિંગના પાણીને સ્પર્શ કરીને પ્રણામ કરવા જોઈએ. આ પછી, તેણે તેને સ્પર્શ કરવો જોઈએ.

વધુમાં વાંચો: શિવલિંગના પણ હોય છે અનેક પ્રકાર, ધાર્યું ફળ મેળવવા આ રીતે કરો પુજન

DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

holy sharavan mass shankar worship Dharma
Maulik Patel

Maulik Patel is the Sub Editor at VTV Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ