બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / religion healing mantras these are effective like a panacea in relieving stress

આસ્થા / તણાવને દૂર કરવામાં રામબાણ ઇલાજથી કંઇ કમ નથી આ મંત્રો, જીવનમાં છે તેનું અનેરું મહત્વ

Arohi

Last Updated: 04:01 PM, 30 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Healing Mantras For Relieving Stress: સનાતન ધર્મમાં ચિંતાઓને દૂર કરવાના અમુક વૈદિક મંત્ર જણાવવામાં આવ્યા છે જેમનો જાપ તમારા માટે રામબાણની જેમ સાબિત થઈ શકે છે.

  • સ્ટ્રેસ આજકાલ છે જીવનનો ભાગ
  • ચિંતાને દૂર કરવા રામબાણ છે આ મંત્રો 
  • જીવનમાં બદલાવ માટે કરો જાપ 

સ્ટ્રેસ આજકાલ જીવનનો ભાગ બની ગયો છે. દરેક લોકો કોઈને કોઈ રીતે પરેશાન હોય છે. લોકોની પાસે એટલો સમય નથી કે તે આ સમસ્યાઓ પર ધ્યાન આપી શકે અને તેનું સમાધાન શોધી શકે. પરંતુ આ સમસ્યાઓ પર ધ્યાન આપવું જરૂરી છે. એવામાં સનાતન ધર્મમાં ચિંતાઓને દૂર કરવા માટે અમુક વૈદિક મંત્ર જણાવવામાં આવ્યા છે જેનો જાપ તમારા માટે રામબાણની જેમ સાબિત થશે. તો આવો જાણીએ આ મંત્રોની વિશેષતાઓ વિશે. 

મહામૃત્યુંજય મંત્ર
આપણા વૈદિક મંત્રોમાં એવી ચમત્કારી શક્તિ છે કે જો તમે તેને બધા નિયમોનું પાલન કરીને જાપ કરો છો તો તમે જીવનમાં કંઈ પણ મેળવી શકો છો અને આ ફક્ત શબ્દો નહીં પરંતુ હકીકત છે. 

જે લોકો અવસાદ અને ચિંતાથી પીડિત છે તેમણે આ સમસ્યાથી બહાર આવવા માટે શક્તિશાળી શિવમંત્રનું દરરોજ રૂદ્રાક્ષની માળાથી 108 વખત જાપ કરવો જોઈએ- 'ॐ हौं जूं स: ॐ भूर्भुव: स्व: ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात् ॐ स्व: भुव: भू: ॐ स: जूं हौं ॐ'

શ્રી નરસિમ્હા મંત્ર
આ નરસિમ્હા મંત્ર એટલો શક્તિશાળી છે કે આ મંત્રને સાંભળવા માત્રથી જ લોકોને તરત રાહત મળે છે. 'ॐ उग्रं वीरं महाविष्णुं ज्वलन्तं सर्वतोमुखम् ।नृसिंहं भीषणं भद्रं मृत्युमृत्युं नमाम्यहम् ॥' આ મંત્રનો જાપ તુલસીની માળીથી કરવો જોઈએ. 

માં દુર્ગાના 32 નામ
માં દુર્ગાના 32 નામોના જાપ ખૂબ જ શક્તિશાળી છે અને પૂર્ણ વિશ્વાસની સાથે નિયમિત જાપ કરવાથી જીવનની બધી મુશ્કેલીઓનો અંત આવે છે. દેવી દુર્ગાના આ 32 નામોને દેવી દુર્ગાના દ્વાત્રિંશ નામાવલીના નામથી ઓળખવામાં આવે છે. માતા દુર્ગાના આ 32 નામોનો લાલ ચંદનની માળા સાથે 108 વખત જાપ કરવો જોઈએ. 

ગાયત્રી મંત્ર 
ગાયત્રી મંત્રનો જાપ કરવાથી જીવનની બધી મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. સાથે જ નકારાત્મક વિચાર અને ભ્રમનો અંત આવે છે. આ મંત્રનો જાપ રૂદ્રાક્ષની માળાથી 108 વખત કરવો જોઈએ. 'ॐ भूर्भुव: स्व: तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न: प्रचोदयात्।।'

હનુમાન ચાલીસા
જીનમાં બદલાવ જોવા માટે રોજ 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરો અને આ પ્રક્રિયાને 6 મહિના સુધી ચાલું રાખો. તેનાથી નકારાત્મકતા દૂર થવાની સાથે જ જીવનમાં ક્યાંક ફસાઈ ગયા તો રસ્તો પણ મળી જશે. જોકે તેના માટે તમારે સાત્વિક જીવનશૈલી અપનાવવી પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ