બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / regularly Hanuman Janmotsav you will get rid Shani dosha and debt

Hanuman Jayanti 2024 / હનુમાન જન્મોત્સવ પર અચૂક કરી લો આ ઉપાય, શનિ દોષ અને દેવાથી મળશે મુક્તિ, રૂપિયા ટકશે

Ajit Jadeja

Last Updated: 09:19 PM, 19 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હનુમાન દાદાના જન્મોત્સવના દિવસે બજરંગબલીની વિધિવત પૂજા કરો. હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં કાળા તલ પણ નાખો.

Hanuman Janmotsav April 2024 : હિંદુ ધર્મમાં હનુમાનજી જન્મોત્સવ દર વર્ષે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. બજરંગબલીની ધાર્મિક પૂજાનું ખુબ મહત્વ છે. હનુમાનજીના ભક્તો પણ આ દિવસે વ્રત રાખે છે. દાદાની ભક્તિ કરવાથી હનુમાનજી ભક્તોની દરેક મનોકામના પુ્ર્ણ કરતા હોવાની માન્યતા છે. અને જીવનના તમામ દુ:ખ અને પરેશાનીઓ દૂર થાય છે. દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે 23 એપ્રિલે હનુમાન જન્મોત્સવ મનાવવામાં આવશે. આ દિવસે ભગવાન હનુમાનજીની પૂજા સાથે શનિ દોષ અને ધન સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે ઘણા વિશેષ ઉપાયો પણ કરવામાં આવે છે. આવો જાણીએ પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે હનુમાનજીના જન્મોત્સવના સરળ ઉપાયો...

શનિ દોષથી છુટકારો મેળવવાના ઉપાયઃ

હનુમાન દાદાના જન્મોત્સવના દિવસે બજરંગબલીની વિધિવત પૂજા કરો. હનુમાનજીની સામે સરસવના તેલનો દીવો પ્રગટાવો અને તેમાં કાળા તલ પણ નાખો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી શનિના અશુભ પ્રભાવથી મુક્તિ મળે છે.

ઋણમાંથી મળશે રાહતઃ 

આ સિવાય હનુમાનજીના જન્મોત્સવ પર હનુમાનજીને ચણાના લોટના લાડુ, લાલ ચોલા અને ચમેલીના તેલનો દીવો અર્પણ કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી પૈસા સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

નાણાકીય તંગી દૂર થશેઃ 

તમે તમારી ભક્તિ પ્રમાણે હનુમાનજીની જન્મજયંતિ પર ભંડારાનું આયોજન કરી શકો છો. ધાર્મિક માન્યતા છે કે આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદોને ભોજન કરાવવાથી તેમની આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે.

વધુ વાંચો : હનુમાન જયંતિ પર ઘરે લાવો આ વસ્તુઓ, બજરંગબલી પ્રસન્ન થઈ દૂર કરશે તમારા દરેક સંકટ

સુખ-સમૃદ્ધિના ઉપાયઃ 

હનુમાન દાદાના જન્મોત્સવના દિવસે સુંદરકાંડનો પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ દિવસે હનુમાનજીને લાડુ ચઢાવો. પરિવારના સભ્યોને લાડુનું વિતરણ કરો. તેમજ ગરીબો અને જરૂરિયાતમંદોમાં પ્રસાદનું વિતરણ કરો. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી બાળકો સંબંધિત સમસ્યાઓથી રાહત મળે છે.

(Disclaimer: અમે દાવો કરતા નથી કે આ લેખમાં આપવામાં આવેલી માહિતી સંપૂર્ણપણે સાચી અને સચોટ છે. આને અપનાવતા પહેલા, સંબંધિત ક્ષેત્રના નિષ્ણાતની સલાહ ચોક્કસ લો.)

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Today Hanuman Janmotsav Hanuman Jayanti 2024 હનુમાન ચાલીસાનો પાઠ હનુમાન જન્મોત્સવના ઉપાય હનુમાનજી જન્મોત્સવ હનુમાનજીની પૂજા Hanuman Jayanti 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ