બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:37 PM, 10 April 2026
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ 10,000 રૂપિયાથી વધુના ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર ફ્રોડ અટકાવવા માટે નવો પ્રસ્તાવ મૂક્યો છે. જેનાથી યુઝર્સને વિચારવાનો સમય મળી શકે. 10,000 રૂપિયા કરતાં વધુની ઓનલાઈન પેમેન્ટ કરશો તો તે તરત નહીં થઈ જાય. તેમાં 1 કલાકનો સમય મળશે. આ દરમિયાન તમે ઇચ્છો તો ટ્રાન્ઝેક્શન રદ પણ કરી શકશો.
ADVERTISEMENT
ઓનલાઇન ઠગાઈ રોકવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા કડક પગલાં લઈ રહી છે. RBIએ 10,000 રૂપિયા કરતાં વધુના ડિજિટલ ટ્રાન્ઝેક્શનને વધુ સુરક્ષિત બનાવવા માટે નવા નિયમોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ખાસ કરીને ઓથોરાઈઝ્ડ પુશ પેમેનેટ જેવી છેતરપિંડી રોકવા માટે છે જેમાં લોકો પોતે જ ઠગબાજોને પૈસા મોકલી દે છે. આ ફેરફાર થવાથી સામાન્ય લોકોનું પેમેન્ટ વધુ સુરક્ષિત બનશે.

ADVERTISEMENT
જો તમે 10,000 રૂપિયા કરતાં વધુની રકમ કોઈ નવા વ્યક્તિ કે એકાઉન્ટમાં ટ્રાન્સફર કરો છો તો તે પૈસા તરત જ મોકલાશે નહીં. તેમાં 1 કલાકનો સમય રાખવામાં આવશે. આ દરમિયાન તમે ઇચ્છો તો ટ્રાન્ઝેક્શન રદ (cancel) કરી શકો છો. એટલે કે જો તમને શંકા થાય કે ભૂલ થઈ છે કે ઠગાઈ થઈ રહી છે તો તમે સમયસર પૈસા જવાથી રોકી શકશો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ જૂની નોકરીનો ફસાયો છે PF? આ રીતે ક્લેમ કર્યા વગર આવી જશે ખાતામાં પૈસા
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા મુજબ નેશનલ સાયબર ક્રાઈમ રિપોર્ટીંગ પોર્ટલના આંકડા બતાવે છે કે 10,000 રૂપિયા કરતાં વધુના ટ્રાન્ઝેક્શનમાં સૌથી વધુ ઠગાઈ થાય છે. આવા ટ્રાન્ઝેક્શન કુલ કેસોમાં લગભગ 45% છે પરંતુ પૈસાની દૃષ્ટિએ લગભગ 98.5% નુકસાન તેમાં જ થાય છે. તેથી આ પ્રકારના ટ્રાન્ઝેક્શન પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. જો કોઈ ટ્રાન્ઝેક્શન શંકાસ્પદ લાગે તો બેંક ગ્રાહક પાસે ફરીથી કન્ફોર્મેશન માંગશે અને તેને ઠગાઈ અંગે એલર્ટ પણ આપશે જેથી ફ્રોડના કેસ ઓછા થઈ શકે.
ADVERTISEMENT
આ નિયમ મર્ચન્ટ પેમેન્ટ (જેમ કે UPIથી ખરીદી), ઈ-મેન્ડેટ અને ચેક પેમેન્ટ પર લાગુ નહીં પડે. ગ્રાહકોની સુવિધા માટે “વ્હાઇટલિસ્ટ”નો વિકલ્પ પણ મળશે જેમાં તેઓ વિશ્વાસપાત્ર લોકો કે એકાઉન્ટને પહેલેથી મંજૂરી આપી શકે છે અને પછી ટ્રાન્ઝેક્શન વખતે કોઈ વિલંબ નહીં થાય. RBI લોકોના પૈસા સુરક્ષિત રહે તે માટે આ મહત્વનું પગલું લઈ રહી છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.