રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)એ બેંક લોકરના નિયમોમાં ફેરફાર કર્યો છે. ચાલો જાણીએ.
બેંક લોકર ધરાવતા લોકો માટે ખાસ સમાચાર
આરબીઆઈએ બેંક લોકરના નિયમમાં કર્યો ફેરફાર
બેંકના ગ્રાહકો પર થશે આવી અસર
કેન્દ્રીય બેંકે લોકરમાં સેફ ડિપોઝિટ અને બેંકો દ્વારા આપવામાં આવતી સુરક્ષિત કસ્ટડીની સુવિધા માટે નવી માર્ગદર્શિકા જાહેર કરી છે. રિઝર્વ બેંકે આ નિર્ણય બેંકો અને ઇન્ડિયન બેન્ક્સ એસોસિએશન (IBA) સાથે વાતચીત કર્યા બાદ અને ગ્રાહકોની ફરિયાદો મળ્યા બાદ લીધો છે. આવી સ્થિતિમાં જો તમે બેંક લોકર સુવિધા લીધી છે, તો તમારા માટે RBI દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નિયમો જાણવા જરૂરી છે.
રિઝર્વ બેંકના નવા નિયમો અનુસાર બેંકોને લોકર અલોટમેન્ટ સમયે ફિક્સ્ડ ડિપોઝિટ લેવાનો અધિકાર છે. આ સુનિશ્ચિત કરશે કે લોકર સુવિધા મેળવનાર વ્યક્તિ સમયસર ભાડું ચૂકવવાનું ચાલુ રાખે. સાથે જ બેંક દ્વારા ફાળવણી સમયે લેવામાં આવતી રકમમાં ત્રણ વર્ષનું ભાડું અને લોકર તોડવાના ચાર્જ બંનેનો સમાવેશ થશે. બેંકોને હાલના લોકર હોલ્ડરો પાસેથી અથવા પહેલેથી કાર્યરત લોકર્સ ધરાવતા ગ્રાહકો પાસેથી ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) માંગવાની મંજૂરી નથી.
ગ્રાહકોએ વહેલીતકે આપવી પડશે આ સૂચના
જો બેંક પહેલાંથી જ લોકરનું ભાડુ લઈ ચૂકી છે, તો એડવાન્સની રકમમાંથી ખાસ રકમ ગ્રાહકોને પરત કરવામાં આવશે.
કુદરતી આફતોના કિસ્સામાં ગ્રાહકોને વહેલી તકે સૂચિત કરવા માટે બેંકો જવાબદાર છે.
જો લોકરમાં રાખવામાં આવેલા સામાનને નુકસાન થાય તો બેંક બોર્ડ દ્વારા મંજૂર નીતિ સાથે તૈયાર રહેવું, જે તેમની જવાબદારીની વિગતો આપે છે.
બેંકોએ લોકર કેર હેઠળ લોકર સિસ્ટમનું યોગ્ય સંચાલન સુનિશ્ચિત કરવું પડશે અને તેમાં કોઈ અસ્વીકૃત પ્રવેશ નહીં થાય.
ભૂકંપ, પૂર જેવી કુદરતી આફતોને કારણે લોકરને નુકસાન થવાના કિસ્સામાં બેંકો જવાબદાર રહેશે નહીં.
બેંકોએ વધારાની કલમ સામેલ કરવી પડશે
કેન્દ્રીય બેંકના નવા નિયમો અનુસાર, તમામ બેંકો લોકર કરારમાં વધારાની કલમ પણ સામેલ કરશે. આ સુનિશ્ચિત કરશે કે જે ગ્રાહકે લોકર ભાડે લીધું છે તે તેમાં કંઈપણ જોખમી વસ્તુ ન રાખે. ઉપરાંત, બેંક વ્યાવસાયિક તરફથી છેતરપિંડી, આગ અથવા મકાન ધરાશાયી થવાના કિસ્સામાં બેંકોએ ગ્રાહકને વાર્ષિક ભાડાની રકમ 100 ગણી ચૂકવવાનું સૂચન કર્યું છે.