બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / સેંકડો પરિવારો અચાનક બન્યા બેરોજગાર, નવા નિર્ણયથી 500 હોમગાર્ડ જવાનોની આવક છીનવાઈ
Last Updated: 01:27 PM, 3 September 2025
રાજકોટ શહેરના સુરક્ષા વ્યવસ્થામાં મહત્વનો ફાળો આપતા હોમગાર્ડ જવાનો માટે નિરાશાજનક સમાચાર સામે આવ્યા છે. શહેરમાં ફરજ બજાવતા 500થી વધુ હોમગાર્ડ જવાનોને તાત્કાલિક અસરથી ફરજ પરથી મોકૂફ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
બંદોબસ્તમાં સંખ્યા ન થતા નિર્ણય લેવાયો
આ નિર્ણય હોમગાર્ડ કમાન્ડન્ટે જણાવ્યું છે કે સુરત બંદોબસ્તના વ્યવસ્થાપનને કારણે રાજકોટમાંથી કેટલાક હોમગાર્ડને મોકલવાના હતા. કલમ 4(1) મુજબ બંદોબસ્તમાં સંખ્યા ન થતા નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT

આચાનક નિર્ણયથી જવાનોમાં નિરાશા
ADVERTISEMENT
દરરોજ નાઈટ ડ્યુટી સહિતની ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો માટે આ નિર્ણય અચાનક આવતી મુશ્કેલી સમાન સાબિત થયો છે. રોજગારીના આધારરૂપ જવાનું મળતું વેતન હવે અચાનક બંધ થતાં અનેક જવાનો આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છે.
આ પણ વાંચોઃ હાઈકોર્ટના ચુકાદા બાદ અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક, તો 5મીએ રીબડામાં શક્તિ પ્રદર્શન!
ADVERTISEMENT
ક્યાં સુધી ફરજ મોકૂફી રહેશે તેની કોઈ સ્પષ્ટતા નહી
હોમગાર્ડ કમાન્ડર દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી કે ફરજ મોકૂફનો આ સમયગાળો કેટલો લાંબો રહેશે. આથી જવાનો હવે આશા રાખી રહ્યા છે કે તેમની ફરજ ફરીથી વહેલી તકે પુનઃશરૂ કરવામાં આવે અને રોજગારની સ્થિરતા પ્રાપ્ત થાય.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.