બ્રેકિંગ ન્યુઝ
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ
અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ
ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય
સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો
ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ
VTV / Railways now in action against those who pelted stones on 'Vande Bharat Train'
Priyakant
Last Updated: 08:30 AM, 29 March 2023
ભારતમાં તેલંગાણામાં ઘણી જગ્યાએ વંદે ભારત ટ્રેનો પર પથ્થરમારાની ઘટનાઓ તાજેતરમાં જ સામે આવી હતી. જેમાં કાઝીપેટ, ખમ્મામ, કાઝીપેટ, ભોંગિર અને એલુરુ-રાજમુન્દ્રીમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ તરફ હવે દક્ષિણ-મધ્ય રેલવે (SCR) એ મંગળવારે લોકોને અપીલ કરી છે કે, તેઓ પથ્થરમારો જેવી અસામાજિક પ્રવૃત્તિઓમાં સામેલ ન થાય.
સાઉથ-સેન્ટ્રલ રેલવે દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, તાજેતરના સમયમાં વંદે ભારત ટ્રેનોને અસામાજિક તત્વો દ્વારા નિશાન બનાવવામાં આવી છે. આ વર્ષે જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આવી નવ ઘટનાઓ સામે આવી છે. ટ્રેનો પર પથ્થરમારો એ ફોજદારી ગુનો છે અને રેલ્વે એક્ટની કલમ 153 હેઠળ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આમાં 5 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે.
અત્યાર સુધી કેટલા કેસ નોંધાયા ?
રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF) એ અત્યાર સુધીમાં અનેક કેસ નોંધ્યા બાદ 39 ગુનેગારોની ધરપકડ કરી છે. પથ્થરમારાની કેટલીક ઘટનાઓમાં 6 થી 17 વર્ષની વયના બાળકો પણ સામેલ હતા. એસસીઆરએ જણાવ્યું હતું કે, સમાજના દરેક માતા-પિતા, શિક્ષક અને વડીલોની જવાબદારી છે કે બાળકોને આવી પ્રવૃત્તિઓથી દૂર રાખવા માર્ગદર્શન આપવું. SCR અનુસાર આવી ઘટનાઓથી માત્ર સાર્વજનિક સંપત્તિને જ નુકસાન થયું નથી, પરંતુ ટ્રેનના સમયમાં પણ ફેરફાર થયો છે. આ ઉપરાંત પથ્થરમારાના કારણે પાંચ મુસાફરો પણ ગંભીર રીતે ઘાયલ થયા છે.
પથ્થરબાજીની જગ્યાઓ પર જવાનો તૈનાત
એસસીઆરના જનરલ મેનેજર અરુણ કુમાર જૈને રાષ્ટ્રીય સંપત્તિને નુકસાન પહોંચાડતી અને મુસાફરોને ગંભીર ઈજા પહોંચાડતી આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવાથી દૂર રહેવા અપીલ કરી હતી. એસસીઆરના જનસંપર્ક અધિકારીએ જણાવ્યું કે, આરપીએફ આ અંગે જાગૃતિ અભિયાન ચલાવી રહી છે અને રેલ્વે લાઇનની આસપાસના ગામોના સરપંચો સાથે મળીને ગ્રામમિત્રો બનાવી રહી છે. આ ઉપરાંત પથ્થરમારાના સ્થળો પર પણ કર્મચારીઓને તૈનાત કરવામાં આવી રહ્યા છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
સાસુ-વહુનો લવ / પરણીને તરત સાસુના પ્રેમમાં પડી વહુ, બોલી- 'મારી સાથે સંબંધ બાંધ', દીકરામાં રસ નથી'
up crime
મનોરંજન / શું તારક મહેતાના સોઢીનું અપહરણ થયું? પોલીસે નોંધ્યો અપહરણનો કેસ, ફોનમાંથી થયા અનેક ટ્રાન્ઝેક્શન
Gurucharan Singh