બ્રેકિંગ ન્યુઝ
રાહુલ ગાંધીએ કોંગ્રેસના ખાતા ફ્રીઝ કરવા મામલે સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ગુરૂવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે આજે અમે 2 રૂપિયા ખર્ચ કરવા માટે પણ નિર્ભર છીએ. કોંગ્રેસની મીટિંગ વખતે તેમણે મીડિયા સાથે વાત કરી અને તીખા પ્રહાર કર્યા છે. ત્યાં જ સોનિયા ગાંધીએ પણ હુમલો બોલતા કહ્યું કે કોંગ્રેસને હેરાન કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. સોનિયા ગાંધીએ કહ્યું કે ખુદ પ્રધાનમંત્રી આ પ્રયત્ન કરી રહ્યા છે કે આર્થિક રીતે કોંગ્રેસને ખતમ કરી દેવામાં આવે.
ADVERTISEMENT

કોંગ્રેસના બેંક ખાતા કરવામાં આવ્યા ફ્રીઝ
ત્યાં જ રાહુલ ગાંધીએ કહ્યું કે એક મહિના પહેલા કોંગ્રેસના બેંક ખાતાને ફ્રીઝ કરવામાં આવ્યા. જો કોઈ સંસ્થા, કંપની કે પરિવારની સાથે આવું થઈ જાય તો તે ખતમ થઈ જાય. પરંતુ અમારી સાથે આજ થયું છે. તેમ છતાં કોઈ કોર્ટ, સંસ્થા કે ચૂંટણી પંચ તેના પર વાત કરવા માટે તૈયાર નથી. બધા ચુપ છે અને ડ્રામા જોઈ રહ્યા છે. એવું ભારતમાં લોકતંત્ર છે. એક એવી પાર્ટી પોતાના નેતાને ક્યાંય મોકલી ન શકે, રેલ ટિકિટ ન ખરીદી શકે, જેને ભારતના 20 ટકા લોકો વોટ કરે છે. તેમણે કહ્યું કે આ કોઈ લોકતંત્ર નથી, જ્યાં મુખ્ય વિપક્ષના ખાતા જ બંધ કરી દેવામાં આવ્યા હોય.
ADVERTISEMENT
ચૂંટણી પંચને સવાલ
આ મામલામાં બધા કોર્ટ અને ચૂંટણી પંચની પણ ભૂમિકા હોઈ શકે છે. પરંતુ તેમની તરફથી પણ કોઈ જવાબ નથી આપવામાં આવ્યો. તેમણે કહ્યું કે મારો સવાલ છે કે આખરે ચૂંટણી આયોગ આ મામલા પર કેમ ચુપ છે. તેમણે કહ્યું કે આવા પગલાથી ભાજપને ફક્ત કોંગ્રેસના ખાતાને જ ફ્રીઝ નથી કર્યું પરંતુ લોકતંત્રને ફ્રીઝ કરી દીધુ છે.
ADVERTISEMENT
તેમણે કહ્યું કે આવક કાયદો કહે છે કે વધારે માં વધારે 10 હજાર રૂપિયા ફાઈન લગાવી શકાય છે. પરંતુ કોંગ્રેસ પાસેથી કરોડો રૂપિયાની વસુલી કરવામાં આવી અને તેમના ખાતા પણ બંધ કરી દેવામાં આવ્યા.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.