ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Raghu Sharma will visit Gujarat tomorrow for the inauguration ceremony of the Youth Congress
ADVERTISEMENT
ADVERTISEMENT
ભારે વિવાદ વચ્ચે આખરે અમદાવાદ મહાપાલિકામાં વિપક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણની સત્તાવાર પસંદગી કરવામાં આવી છે. AMCમાં વિપક્ષના ઉપનેતા તરીકે નિરવ બક્ષીની નિયુક્તિ કરાઈ છે.
યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ પણ આવશે ગુજરાત
મહત્વનું છે કે આવતી કાલે યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહનનો સમારોહ યોજાનાર છે જેમાં કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા તેમજ યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. સાથે જ મહારાષ્ટ્ર અને રાજસ્થાન યુથ કોંગ્રેસના અધ્યક્ષ પણ ઉપસ્થિત રહેશ. યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહણ યોજાનાર છે ત્યારે મોટી સંખ્યમાં કાર્યકરો હાજર રહે તેવું પણ મનાઈ રહ્યું છે જો કે હાલ રાજ્યમાં કોરોનો સંક્રમણ વધુ ઝડપથી ફેલાઈ રહ્યું છે જેને લઈને કાર્યકરોની સંખ્યા મર્યાદિત રાખવામાં આવી શકે છે.
યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના પદગ્રહણમાં રહેશે ઉપસ્થિત
જ્યારે કોંગ્રેસ પ્રભારી અને યુથ કોંગ્રેસ અધ્યક્ષ શ્રીનિવાસ ગુજરાત આવી રહ્યા છે ત્યારે તેમના સ્વાગતની તૈયારીઓ પણ કરવામાં આવી છે. જો કે આજે મનપામાં વિપક્ષ નેતાનું નામ જાહેર કરાયું છે જેમાં મહાનગરપાલિકામાં વિપક્ષના નેતા તરીકે શહેજાદખાન પઠાણ, જ્યારે વિપક્ષના ઉપનેતા તરીકે નિરવ બક્ષીની નિયુક્તિ કરવામાં આવી છે. તો બીજી તરફ કેટલાક કોંગ્રેસી કાર્યકરોમાં નારાજગીનો સૂર પણ જોવા મળી રહ્યો છે.
AMCમાં વિપક્ષના નેતા બન્યા શહેઝાદખાન પઠાણ
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા ચુંટણી આડે માત્ર 10 મહિના બાકી છે ત્યારે, કોંગ્રેસમાં 'એક સાંધતા તેર તૂટે છે'માંડ માંડ પ્રદેશ પ્રમુખ અને વિપક્ષી નેતાનો લાંબા સમયથી ગૂંચવાયેલો મુદ્દો સુલ્જ્યો, ત્યાંજ અમદાવાદ મહાનગર પાલિકામાં પણ આખરે વિપક્ષના નેતા પદનું ગૂંચવાયેલું કોકડું ઉકેલાઈ ગયું. શહેઝાદ ખાન પઠાણને સત્તાવાર રીતે કોર્પોરેશનના વિપક્ષના નેતા બનાવવામાં આવ્યા છે. AMCમાં વિપક્ષના ઉપનેતા તરીકે નિરવ બક્ષીની નિમણૂક કરવામાં આવી છે.. જ્યારે મુખ્ય દંડક તરીકે જગદીશ રાઠોડની વરણી કરવામાં આવી છે.
કોંગ્રેસ કોર્પોરેટરોએ ઉઠાવ્યો હતો વાંધો
ADVERTISEMENT
અમદાવાદ મહાનગર પાલિકામાં કોંગ્રેસના 10 નગર સેવકોએ રાજીનામાં આપતા 'ઉકળતા ચરુ' જેવી સ્થિતિ સર્જાઈ હતી. કોંગ્રેસ નેતા સી જે ચાવડાએ આ મુદ્દે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે બે નિરીક્ષકો નિમાયા છે જેમાં એક હું અને બીજા નરેશ રાવલ છે'. જે કઈ હશે તેનો આગામી સમયમાં નિર્ણય લેવાશે. જો કે, તેમ કહ્યું કે, રાજીનામાં જેવી કોઈ વાત નથી. એક ફોર્મ્યુલા પ્રમાણે 4 વર્ષ માટે 4 લોકોને એક- એક વર્ષ માટે વિપક્ષના નેતા બનાવવાનો રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. મહત્વનુ છે કે શહેઝાદ ખાનના નામ સામે કોંગ્રેસના જ કોર્પોરેટરે વાંધો ઉઠાવ્યો હતો.પ્રદેશ કક્ષાએ અને રાષ્ટ્રીયકક્ષાએ પણ આ અંગે રજૂઆત થઈ હતી. શહેઝાદ ખાન પઠાણ પર મહિલાના અપમાનનો પણ આરોપ લાગ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ