બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:23 PM, 9 February 2025
Delhi CM : દિલ્હીના મુખ્યમંત્રીના ચહેરાને લઈ સૌથી મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં દિલ્હીમાં ભાજપનો 27 વર્ષ બાદ ભાજપે પ્રચંડ જીત મેળવી છે. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 48 બેઠકો જીતી છે અને બમ્પર બહુમતી મેળવી છે. 11 વર્ષ સુધી સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી માત્ર 22 બેઠકો પર સમેટાઈ ગઈ. દિલ્હીના નવા મુખ્યમંત્રીનો શપથ ગ્રહણ સમારોહ 13 ફેબ્રુઆરી પછી થવાની શક્યતા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 10થી 13 ફેબ્રુઆરી દરમિયાન ફ્રાન્સ અને અમેરિકાની મુલાકાતે રહેશે. 27 વર્ષના લાંબા ગાળા પછી ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. પાર્ટી ઇચ્છે છે કે, નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાજર રહે. તેથી શપથ ગ્રહણ સમારોહ 13 ફેબ્રુઆરી પછી યોજાય તેવી શક્યતા છે.
ADVERTISEMENT
ભાજપમાં મુખ્યમંત્રીના ચહેરા પર મંથન શરૂ થઈ ગયું છે. આ દરમિયાન એવા સમાચાર છે કે, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળવા પહોંચ્યા છે. બંને નેતાઓ વચ્ચે લગભગ દોઢ કલાક સુધી વાતચીત થઈ. માનવામાં આવે છે કે, બેઠકમાં દિલ્હીની નવી સરકારની રૂપરેખા પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રદેશ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ પણ રવિવારે પાર્ટીના ધારાસભ્યોની બેઠક બોલાવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલ્હી ભાજપ પ્રમુખ સચદેવ આજે સાંજે તમામ વિજેતા ધારાસભ્યોને મળશે અને તેમની જીત બદલ અભિનંદન પાઠવશે. ધારાસભ્યો સાથે આગળની રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
એવી પણ ચર્ચા છે કે, શપથ ગ્રહણ સમારોહ અંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પક્ષ પ્રમુખ જેપી નડ્ડા, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ સાથે ચર્ચા થઈ હતી અને દિલ્હીમાં રચાનારી સરકારની રૂપરેખા પર વાતચીત થઈ હતી. અગાઉ દિલ્હી ભાજપ પ્રમુખ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું હતું કે, મુખ્યમંત્રીની પસંદગીનો નિર્ણય પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા લેવામાં આવશે. બધા નવા ચૂંટાયેલા ધારાસભ્યો પક્ષ દ્વારા સોંપાયેલ ફરજો નિભાવવા સક્ષમ છે. આ દરમિયાન દિલ્હીના ભાજપના સાંસદ મનોજ તિવારીએ કહ્યું કે. સરકાર બન્યા પછી અમારી પ્રાથમિકતા યમુનાને સાફ કરવાની રહેશે. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી અંગેનો નિર્ણય કેન્દ્રીય નેતૃત્વ લેશે. મનોજ તિવારીએ કહ્યું કે જે પણ મુખ્યમંત્રી હશે, તે દિલ્હીના લોકો માટે કામ કરશે અને વડાપ્રધાન મોદી દ્વારા લોકોને આપવામાં આવેલી ખાતરીઓ પૂર્ણ કરશે.
ADVERTISEMENT
શપથ ગ્રહણ સમારોહમાં NDA નેતાઓ હાજરી આપશે
એવું માનવામાં આવે છે કે, દિલ્હીમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ ભવ્ય રહેશે તેથી થોડો સમય લેવામાં આવી રહ્યો છે. આ કાર્યક્રમમાં NDA નેતાઓને આમંત્રિત કરવામાં આવશે. આ સાથે બધા NDA શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ પણ શપથ ગ્રહણ સમારોહનો ભાગ બનશે.
ADVERTISEMENT
વધુ વાંચો : દિલ્હીના મુખ્યમંત્રી કોણ બનશે? પ્રદેશ ભાજપ પ્રમુખે આપ્યો આ જવાબ
10 દિવસમાં નવા મુખ્યમંત્રીની પસંદગી થશે!
ADVERTISEMENT
ભાજપની જીત બાદ શનિવારે પાર્ટીના રાજ્ય પ્રભારી બૈજયંત પાંડાએ કહ્યું હતું કે. દિલ્હીને આગામી 10-15 દિવસમાં નવા મુખ્યમંત્રી મળશે. પાર્ટીમાં મુખ્યમંત્રીની પસંદગી માટે સંપૂર્ણ પ્રક્રિયાનું પાલન કરવું પડે છે. તેમણે કહ્યું કે, આપણી પાસે સામૂહિક નેતૃત્વ છે અને મુખ્યમંત્રીની પસંદગી એક પ્રક્રિયા દ્વારા કરવામાં આવશે. દિલ્હીમાં કુલ 70 વિધાનસભા બેઠકો છે અને બહુમતી માટે 36 બેઠકો જરૂરી છે. 1993માં ભાજપે પહેલી વાર દિલ્હી જીત્યું. ત્યારબાદ 1998ની ચૂંટણીમાં ભાજપ હારી ગઈ અને કોંગ્રેસે સરકાર બનાવી. 1998 અને 2008માં કોંગ્રેસે રાષ્ટ્રીય રાજધાનીમાં જીત મેળવી હતી. તે પછી જ્યારે 2013 માં ચૂંટણીઓ યોજાઈ ત્યારે ભાજપે સૌથી વધુ બેઠકો જીતી પરંતુ બહુમતીથી દૂર રહી. આવી સ્થિતિમાં કોંગ્રેસે AAP ને બહારથી ટેકો આપ્યો અને અરવિંદ કેજરીવાલ મુખ્યમંત્રી બન્યા. આ સરકાર એક વર્ષ ચાલી અને પછી કેજરીવાલે રાજીનામું આપવું પડ્યું. બાદમાં 2015 અને 2020ની ચૂંટણીઓમાં AAP એ જંગી જીત મેળવી.
વધુ વાંચો : પૂર્વ CMના પુત્ર, રહી ચૂક્યા છે સાંસદ, કેજરીવાલને હરાવનાર પરવેશ વર્મા કોણ છે?
ADVERTISEMENT
નવા મુખ્યમંત્રીને લઈને ભાજપમાં કવાયત
હવે 27 વર્ષ પછી ભાજપ ફરી એકવાર જીત્યું છે. હવે ભાજપમાં નવા મુખ્યમંત્રીને લઈને કવાયત તેજ થઈ ગઈ છે. નવી દિલ્હી બેઠક પરથી ભાજપના પ્રવેશ વર્માએ AAP કન્વીનર અરવિંદ કેજરીવાલનો વિજય રથ રોકી દીધો છે. તેમણે 4,089 મતોથી શાનદાર વિજય મેળવ્યો છે. હાલમાં ભાજપની મુખ્યમંત્રી પદની રેસમાં પરવેશ વર્માનું નામ પણ ચર્ચામાં છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.