ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનની પત્ની પ્રીતી નારાયણને શુક્રવારે કહ્યું કે તેમના પરિવારના 10 સભ્યો ગયા અઠવાડિયે કોરોના પોઝિટિવ આવ્યા હતા.
ક્રિકેટ જગતમાં પણ છવાયું કોરોના સંક્રમણ
રવિચંદ્રન અશ્વિનની પત્ની પ્રીતી નારાયણને કરી ટ્વિટ
ઘરના 10 સભ્યોનો રિપોર્ટ પોઝિટિવ
દિલ્હી કેપિટલ્સના સ્પીનર અશ્વિને કોરોના સામ લડી રહેલા પરિવારની મદદ માટે રવિવારે આઈપીએલને વચ્ચે જ છોડી દેવાનો નિર્ણય લીધો હતો. પત્ની પ્રીતિએ લખ્યું કે તેમનો પરિવાર કઈ મુશ્કેલીમાંથી પસાર થઈ રહ્યો છે.
Feeling ok enough to croak a tiny hi to all of you.6 adults and 4 children ended up testing+ the same week,with our kids being the vehicles of transmission - the core of my family,all down with the virus in different homes/hospitals..Nightmare of a week.1 of 3 parents back home.
— Wear a mask. Take your vaccine. (@prithinarayanan) April 30, 2021
એક અઠવાડિયામાં પરિવારના 6 મોટા અને 4 બાળકો થયા પોઝિટિવ
તેઓએ કહ્યું કે એક જ અઠવાડિયામાં પરિવારના 6 મોટા સભ્યો અને 4 બાળકો પોઝિટિવ આવ્યા છે અને તેમને અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જેમાંથી 3 સભ્યો ઘરે પરત આવ્યા છે.
Feeling ok enough to croak a tiny hi to all of you.6 adults and 4 children ended up testing+ the same week,with our kids being the vehicles of transmission - the core of my family,all down with the virus in different homes/hospitals..Nightmare of a week.1 of 3 parents back home.
— Wear a mask. Take your vaccine. (@prithinarayanan) April 30, 2021
મહામારીને લઈને કરી આ અપીલ
તેઓએ કહ્યું છે કે વેક્સીન લગાવી લો. પોતાની અને પરિવારની આ મહામારીમાં સુરક્ષા કરો. પ્રીતીએ કહ્યું કે માનસિક રીતે સ્વસ્થ રહેવાના બદલે શારીરિક રીતે સ્વસ્થ રહેવાનું સરળ છે. 5-8 દિવ, સૌથી ખરાબ સમય હોય છે. દરેક લોકો મદદ આપે છે પણ કોઈ તમારી પાસે હોતું નથી. આ બીમારી તમને એકલા કરી દે છે.